________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ
૧૭ ગુણ કરે. પરંતુ કર્મો મને હેરાન કરે અને સદ્ગુરુ મને તારે – એમ જો નિમિત્તથી કાર્ય થતું માને તો તેમાં ક્યાંય પોતે તો આવ્યો જ નહિ, પોતાના સામે જોવાનો અવકાશ જ તેમાં ન રહ્યો. અને પરાધીન દષ્ટિ જ રહી.
રોટલી અગ્નિથી પાકી નથી પણ પોતામાં જ ત્રેવડ છે તેથી તે પાકી છે, અગ્નિ અને તાવડી હોય છતાં કાંઈ રેતી પાકે નહિ, કેમકે તેનામાં તેવી શક્તિ થી પાકી પર્યાય થઈ તે રોટલીની થઈ છે કે તાવડીની ? રોટલી પોતે તે પર્યાયરૂપે થઈ છે. માટે રોટલી સ્વયં પાકી છે.
જો શિષ્યના જ ઉપાદાનમાં સમજવાની ત્રેવડ ન હોય તો ગુરુ શું કરે? શ્રીગુરુ લાખ પ્રકારે વાત કરે પરંતુ શિષ્યને પોતાની ત્રેવડ વગર સમજાય નહિ, એટલે ઉપાદાન વગર એક પણ કાર્ય થાય નહિ.
નિમિત્તે કહ્યું હતું કે જગતના પ્રાણીઓ ઉપાદાનની વાત પણ જાણતા નથી; ઉપાદાન કહે છે કે – જગતના અંધ પ્રાણીઓ ઉપાદાનનું સ્વરૂપ ન જાણે તેથી શું? પરંતુ ત્રિલોકનાથ તીર્થકર મને જાણે છે. જગતના ઘણા આંધળાઓ તને માને તેમાં તારું શું વળ્યું? મારે તો એક ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ બસ છે. હજારો ગાડરડાં હોય પણ એક સિંહ તેની સામે બસ છે જ્યાં સિંહ આવે ત્યાં બધાયા ગાડરડાં પૂછડાં લઈને ભાગી જાય તેમ “નિમિત્તથી કામ થાય” એવો અભિપ્રાય જગતના અનંત જીવોને છે પરંતુ તે બધા અજ્ઞાની છે તેથી તેમનો અભિપ્રાય સાચો નથી, અને “ઉપાદાનની શક્તિથી જ સર્વ કાર્ય થાય” એમ માનનાર થોડા જ જીવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com