________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપાદાન-નિમિત્ત સંવાદ જાણે તો બરાબર જાણનાર [ સમ્યજ્ઞાની ] છે નિમિત્ત નથી એમ માને અથવા તો નિમિત્તથી કાર્ય થાય એમ માને તો (દષ્ટાંતના બાડાની જેમ) તેના જ્ઞાનમાં ભૂલ છે. અને નિમિત્ત-ઉપાદાન કાંઈ છે જ નહિ એમ બન્નેને ન જાણે તે અંધની જેમ જ્ઞાન વગરનો છે.
પ્રથમ બે આંખ વડે બધું બરાબર જાણીને પછી ખાસ પદાર્થ તરફની એકાગ્રતા ખાતર બીજા પદાર્થ તરફ આંખ મીંચેતે બરાબર છે, તેમ પહેલાં ઉપાદાન નિમિત્તને બરાબર જાણીને પછી ઉપાદાનસ્વરૂપમાં એકાગ્રતા કરવા માટે નિમિત્તનું લક્ષ છોડી દેવું તે બરાબર છે. પણ પ્રથમ ઉપાદાન-નિમિત્ત બધું જેમ છે તેમ જાણવું જોઈએ.
- જ્યારે આત્માના સ્વભાવનું ભાન કરે ત્યારે નિમિત્ત હોય છે એમ જ્ઞાન કરવા માટે બને છે, પણ આદરવા માટે બન્ને નથી, આદરવા માટે ઉપાદાન છે નિમિત્ત હેય છે ઉપાદાનની શક્તિથી કાર્ય થાય છે. જેઓ સમ્યજ્ઞાની છે એટલે કે આત્માના ઓળખનારા છે તેઓ જ ઉપાદાનની શક્તિ જાણે છે.
નિમિત્ત કહે છે કેકહૈ જીવ સબ જગતકે, જો નિમિત્ત સોઈ હોય; ઉપાદાનકી બાતકો, પૂછે નાહીં કોય. ૬
અર્થ- જગતના સર્વ જીવ કહે છે કે જેવું નિમિત્ત હોય તેવું કાર્ય થાય, ઉપાદાનની વાતનું તો કોઈ કાંઈ પૂછતું નથી. ૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com