________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
મૂળમાં ભૂલ ટોળાં તને જાણે તેમાં તારી શું કિંમત? પણ મને બધા જ્ઞાનીઓ જાણે છે. રાખ તો ઘેર ઘેર ચૂલામાં હોય તેથી કંઈ રાખ કિંમતી ગણાય નહિ અને હીરાના વેપારી થોડા હોય તેથી કાંઈ હીરાની કિંમત ઘટી જાય નહિ. તેમ જગતના ઘણા જીવો પરથી કામ થાય એમ માને તેથી કાંઈ પરથી કાર્ય થઈ જાય નહિ. ઉપાદાન સ્વભાવની વાત તો જ્ઞાનીઓ જ જાણે, અજ્ઞાનીઓને તેના પત્તા ન ખાય.
નિમિત્તથી કાર્ય થાય નહિ છતાં જ્યારે પોતે સમજે ત્યારે સાચા જ ગુરુનું નિમિત્ત હોય.. ગુરુથી જ્ઞાન નહિ અને ગુરુ વિના પણ જ્ઞાન નહિ. સાચા ગુરુ વિના ત્રણકાળમાં જ્ઞાન થાય જ નહિ અને ત્રણકાળમાં ગુરુ કોઈને જ્ઞાન આપે પણ નહિ.
જ્યારે જીવ પોતાની શક્તિથી સાચી ઓળખાણ કરે ત્યારે સપુરુષની જ વાણીની હાજરી હોય. પરંતુ પુરુષની વાણીથી જીવ સમજતો નથી, જીવ પોતાથી ન સમજે તો વાણીને નિમિત્ત કહેવાય નહિ.
પ્રશ્ન- નિમિત્ત વગર થાય નહિ અને નિમિત્તથી થાય નહિ-એમ બે વાત આપ કહો છો તે બેમાંથી કઈ વાત રાખવી?
ઉત્તર- બન્ને રાખવી, એટલે કે નિમિત્ત હાજર હોય છે ખરું, અને નિમિત્તથી કાંઈ કાર્ય થતું નથી એમ બન્ને પડખાં સમજવો. જેમ બે આંખવાળો હોય તે બધું બરાબર જાણે, એક આંખ અંધ હોય તો બાડો, તે બરાબર જોઈ શકે નહિ, અને બન્ને આંખ અંધ હોય તો આંધળો, તે કાંઈ વસ્તુ જ ન જોઈ શકે. તેમ ઉપાદાન-નિમિત્ત બન્નેને જેમ છે તેમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com