________________
નથી... ઈત્યાદિ વિચારવું જોઈએ. ll૧૩-જા
હું કરું ? “મુત્યષ’ની પ્રશંસાનું કારણ જણાવાય છેमुक्तौ च मुक्त्युपाये च, मुक्त्यर्थं प्रस्थिते पुनः । यस्य द्वेषो न तस्यैव, न्याय्यं गुर्वादिपूजनम् ॥१३-५॥
કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યે દ્વેષ : આ ચાર સ્વરૂપ યોગની પૂર્વસેવા; આ પૂર્વે વર્ણવી છે. આ ચારમાં પણ મુક્તિ પ્રત્યેના અદ્વેષની પ્રશંસા યોગીન્દ્ર પુરુષો કરે છે. તેનું કારણ આ શ્લોથી જણાવાય છે. “મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારાને વિશે; મુક્તિને વિશે અને મુક્તિના ઉપાયભૂત સમ્યગ્દર્શનાદિને વિશે જેઓને દ્વેષ થતો નથી, તેમનું જ ગુરુદેવાદિપૂજન વગેરે યોગ્ય છે.”-આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
એનો આશય સમજી શકાય છે કે ગુરુદેવાદિપૂજા, સદાચાર અને તપ સ્વરૂપ યોગની પૂર્વસેવાથી મોક્ષની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન શરૂ થાય છે. એ પ્રયત્ન મુક્તિ પ્રત્યેના અષથી જ યોગ્ય બને છે. અન્યથા મુક્તિદ્વેષના કારણે યોગની પૂર્વસેવાથી યોગની પ્રાપ્તિ થતી નથી. મોક્ષના
pooroorobaobaooaob#clorobaooad