________________
ન્યાચ્ય બને છે એનું જે કારણ છે, તે જણાવાય છે. ગુર્નાદિકની પૂજા વગેરે અનુષ્ઠાનો તો એકસરખાં જ છે તો મુફ્લેષાદિના કારણે એમાં ભેદ શા માટે મનાય છે ? આ શંકાનું સમાધાન કરાય છે
“મુત્યદ્વેષના કારણે મહાપાયની નિવૃત્તિ થવાથી; તે વખતે ગુરુદેવાદિની પૂજા વગેરેથી જેવો ગુણ થાય છે, તેવો ગુણ કેવળ ગુરુદેવાદિપૂજન વગેરેથી થતો નથી.”-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે-મુત્યદ્વેષના કારણે સંસાર નામના મહાન અપાયની નિવૃત્તિ થાય છે. મુક્તિ પ્રત્યે અદ્વેષ ન હોય ત્યારે સંસારસ્વરૂપ અપાયની નિવૃત્તિ કોઈ પણ રીતે શક્ય બનતી નથી. કારણ કે ત્યારે સંસાર અપાયસ્વરૂપ જણાતો નથી. મુત્યદ્વેષથી એ મહાપાયની નિવૃત્તિ થાય છે. તેથી તે વખતે કરાતા ગુરુદેવાદિપૂજનાદિ અનુષ્ઠાનથી જે ગુણ પ્રાપ્ત થાય છે, તે ગુણ મુજ્યષથી રહિત એવી કેવળ તે તે પૂર્વસેવાથી(ગુરુદેવાદિપૂજન વગેરેથી) પ્રાપ્ત થતો નથી. અહીં સંસારથી પાર ઊતરવા સ્વરૂપ મહાપાયનિવૃત્તિ છે. યોગની પૂર્વસેવાને કરનારા આત્માઓને સંસારમાં રહેવું પડે છે : એ એક મોટો અપાય જણાય છે. મુક્તિ પ્રત્યેના દેષનો અભાવ થવાથી સંસારથી પાર ઊતરવાનો આરંભ
5dWo+dc+doÓ600x0%^%
1
ddoodsdsdsdodsdox