Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ થતી હોય છે. મુક્તિ પ્રત્યે દ્વેષ હોય તો સૌભાગ્યાદિફ્લેચ્છા કોઈ પણ રીતે બાધિત નહીં જ બને. અભવ્યોના આત્માઓને એનો ખ્યાલ રાખવાનું આવશ્યક જણાતું જ નથી. ફળની તીવ્ર ઈચ્છા હોવાથી તેમની તે ઈચ્છા બાધિત બનતી નથી. ગમે તેટલો પણ સારામાં સારો ધર્મોપદેશ, તેમને તેમની ઈચ્છાથી વિરત કરવા સમર્થ બનતો નથી. પરંતુ ‘મોક્ષનો દ્વેષ કરવાથી સ્વર્ગાદિનાં સુખો પ્રાપ્ત થતાં નથી' આવો ખ્યાલ હોવાથી મોક્ષ પ્રત્યે તેઓ દ્વેષ કરતા નથી, પણ તેમનો તે મુખ્ત્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક થતો નથી. ।।૧૩-૨૧૫ છે છે બાધ્ય લેચ્છા સદનુષ્ઠાનના રાગને કરનારી છે : એ જણાવીને અબાધ્ય ફ્લેચ્છા કેવી છે, તે જણાવાય છે अबाध्या सा हि मोक्षार्थशास्त्रश्रवणघातिनी । મુવન્ત્યદેવે તદ્દન્યાં, બુદ્ધિમાંર્ગાનુસાળિી ૫૬૨-૨૨૫ ‘‘અબાધ્ય ફ્લાપેક્ષા મોક્ષસ્વરૂપ અર્થને જણાવનારા શાસ્ત્રના શ્રવણનો ઘાત કરનારી છે, તેથી મુક્તિની પ્રત્યે અદ્વેષ હોતે છતે બાધ્ય ફ્લાપેક્ષા થાય ત્યારે (હોય ત્યારે) બુદ્ધિ માર્ગાનુસારિણી બને છે.’-આ પ્રમાણે બાવીશમા ૩૮ OIC

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66