Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 55
________________ લોકોને જ્યારે મંાદિની સિદ્ધિ થવાની તૈયારી હોય ત્યારે મહાભયંકર એવા વેતાલાદિ ઉપસ્થિત થઈને ઉપદ્રવ કરીને ડરાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ત્યારે સત્ત્વશાળી એવા સાધકો વેતાલાદિના દર્શનાદિથી જેમ ભયભીત થતા નથી, તેમ મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાથી ચરમાવર્ત્તવર્તી જીવોને તાદશ કર્મબંધ થવા છતાં ભય થતો નથી. સાધકને જેમ સિદ્ધિ નજીકમાં છે અને તેથી ભયના અવસરે પણ આનંદ છે, તેમ મુખ્ત્યદ્વેષવાળા આત્માઓને મુક્તિ નજીકમાં હોવાથી ચિત્તમાં ઉપરથી આનંદ થાય છે. પરંતુ સફ્લેશાદિ ભય થતો નથી. દષ્ટાંતમાં સારા સાધકને જે મંત્રાદિસિદ્ધિ પ્રામ થાય છે, તે એક તો મોટી નથી અને બીજું તે સદાને માટે રહેનારી નથી. એમ છતાં તેના સત્સાધકને ચિત્તમાં જે પ્રમોદ પ્રગટે છે અને વેતાલાદિના દર્શનથી ભય પેદા થતો નથીતેનો વિચાર કરીએ તો સમજાશે કે મુક્તિનું સામીપ્ય પ્રાપ્ત થવાથી મુખ્ત્યદ્વેષીઓને ચિત્તમાં કેટલો આનંદ થતો હશે, તેથી તેવા આત્માઓને તે વખતે થતાં કર્મબંધથી સક્લેશ થતો ન હોવાથી ભય થવાનું કોઈ જ કારણ નથી. આથી સમજી શકાશે કે મુત્યુદ્વેષ હોતે છતે શુભભાવના યોગે અનુષ્ઠાનસંબંધી ખેદનો પણ અભાવ હોય છે.।।૧૩-૨ા dododoro #dordord ૪૮ badordo #OOOOOooo

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66