Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ ક્રિયાસ્વરૂપે રાખનાર મુખ્ત્યદ્વેષ હોવાથી તેને ક્રિયાઓના જીવાતુ તરીકે વર્ણવ્યો છે. ઉપર જણાવ્યા મુજબનો મુત્યુદ્વેષ હોતે છતે તેના અવ્યવહિત ઉત્તરકાળમાં ગુણાનુરાગ પ્રગટે છે. જ્ઞાનાદિ ગુણોના રાગ વિના મોક્ષની પ્રાપ્તિ અને સાધના શક્ય નથી. કોઈ પણ અનુષ્ઠાનને ત્યાં સુધી લઈ જવામાં મુખ્યપણે ગુણાનુરાગ પ્રયોજક છે અને આ ગુણાનુરાગ મુખ્ત્યદ્વેષના અવ્યવહિતોત્તરકાળમાં પ્રગટે છે. તેથી ગુણાનુરાગના બીજ તરીકે મુત્સદ્વેષનું અહીં વર્ણન કર્યું છે. મોક્ષનો રાગ જન્મે તો ખૂબ જ સરસ છે, પરંતુ તે ન જન્મે ત્યાં સુધી મોક્ષ પ્રત્યે દ્વેષ ન થાય : એનો મુમુક્ષુ આત્માઓએ ઉપયોગ રાખવો જોઈએ. અનંતજ્ઞાનીઓએ પ્રરૂપેલા મોક્ષ, તેના ઉપાયો અને તેની સાધનામાં તત્પર એવા આત્માઓ પ્રત્યે ખરેખર તો દ્વેષ કરવાનું કોઈ જ કારણ નથી. પરંતુ અજ્ઞાન, કદાગ્રહ, સુખની તીવ્ર આસક્તિ અને દુ:ખ પ્રત્યેનો તીવ્ર દ્વેષ... વગેરે કારણે મુક્તિ વગેરે પ્રત્યે દ્વેષ થતો હોય છે. અજ્ઞાનાદિના નાશ માટે પ્રયત્નશીલ આત્માઓને મુત્યુદ્વેષ સુલભ બને છે. ૧૩-૨૫॥ મુખ્ત્યદ્વેષથી ગુણનો રાગ પ્રાપ્ત થયા પછી જે ફળ વાં ૪૫ dordordoadoro dordoroord brobro

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66