________________
ગાડીમાં બધું જ હાજર પણ પેટ્રોલ ?
જ્ઞાનક્ષેત્રે અધ્યયન નવ પૂર્વ સુધીનું હોય, ચારિત્રક્ષેત્રે ચારિત્રનું પાલન નિરતિચાર હોય અને તપક્ષેત્રે માસખમણને પારણે માસખમણની તપશ્ચર્યા હોય અને છતાં મુક્તિપદ આત્માથી લાખો યોજન દૂર હોય, અનંત ભવો દૂર હોય એ બને ખરું?
હા, એ બની શકે છે એમ નહીં, આપણી બાબતમાં કદાચ એ બન્યું જ છે. કારણ? જ્ઞાનચારિત્ર અને તપને ‘સમ્યક્’ નું ગૌરવ મળી શકે એ સમ્યગ્દર્શન આપણે સ્પર્ધા જ નહીં. ગાડીમાં બધું જ બરાબર, પેટ્રોલ ગેરહાજર. ગાડી મંજિલે પહોંચી જ શી રીતે શકે? જ્ઞાન, ચારિત્ર, તપ બધું ય અફલાતુન. સમ્યક્દર્શન જ ગેરહાજર. આત્મા મંજિલે પહોંચી
જ શી રીતે શકે ? એક જ કામ કરીએ. સમ્યક્દર્શનને સ્પર્શી લેવાનું.
૨૫
આપણી ભૂલ કાઢવાની છૂટ સામાને ક્યાં સુધી ?
આપણી ભૂલ કાઢવાની સામાને છૂટ ક્યાં સુધી ? આપણે છદ્મસ્થ છીએ ત્યાં સુધી! આપણી ભૂલનો બચાવ કરવાની છૂટ આપણને ક્યાં સુધી નહીં ?
આપણે છદ્મસ્થ છીએ ત્યાં સુધી !
આપણા જીવનમાં ભૂલો થતી રહેવાની સંભાવના
ક્યાં સુધી ? આપણે છદ્મસ્થ છીએ ત્યાં સુધી ! જવાબ આપો. આ વાસ્તવિકતાનો આપણને ખ્યાલ ખરો? આ વાસ્તવિક્તાનો આપણો હૃદયગત સ્વીકાર ખરો ? આ વાસ્તવિકતાના આધારે આપણું જીવન ખરું?
જો ભૂલના બચાવ માટેના જ આપણા પ્રયાસો ચાલુ છે તો નિશ્ચિત સમજી રાખવું કે ભૂલમુક્ત બની જવાનું આપણા માટે અશક્ય જ બની
રહેવાનું છે.
૨