Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ અન્યને દુઃખ મળ્યાનું દુઃખ અનુભવતો રહે એ મુનિ અહંકારીની ચરબી મગજમાં મુનિની એક વ્યાખ્યા આ પણ કરી શકાય કે “અન્યને દુ:ખ મળ્યાનું દુઃખ સતત અનુભવતો રહે એ મુનિ - તાર્કિક શિરોમણી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજે તો ત્યાં સુધી લખી દીધું છે કે ‘સામી વ્યક્તિના દુ:ખનું પ્રતિબિંબ જો તમારા અંતઃકરણમાં નથી પડતું તો તમે આપ્ત જ નથી.' જો સંસારના આરંભ-સમારંભમાં બેઠેલ એક સંસારી આત્મા પાસે પણ આવું સંવેદનાસભર " અંતઃકરણ હોવું જોઈએ તો પછી આપણા માટે તો વાત જ શી કરવાની ? સમ્યક્દર્શનનું ચોથું પહેલવાનની ચરબી તો એના શરીરમાં હોય છે; પરંતુ અહંકારીની ચરબી તો એના મગજમાં હોય છે.' ક્યાંક વાંચવામાં આવેલ આ વાક્યના સંદર્ભમાં વિચારવું હોય તો વિચારી શકાય કે શરીરની ચરબી વધુમાં વધુ મોત જ આપે છે પરંતુ અહંકારની ચરબી તો આત્માનેદુર્ગતિમાં ધકેલી દે છે. જવાબ આપો. આપણે વધુ સાવધ કઈ બાબતમાં ? શરીરમાં ચરબી જમા ન થઈ જાય એમાં ? કે પછી મગજમાં ચરબી જમા ન થઈ જાય એમાં? આપણે વધુ વ્યથા શેની અનુભવીએ ? શરીરમાં ચરબીના થર જામી ગયાની ? કે મગજમાં અહંકારની ચરબી જામી ગયાની? અહંકારની ચરબીને નામશેષ કરી નાખવા માટે જ મળેલા આ સંયમજીવનમાં એ ચરબીને વધારવાની ભૂલ આપણે ક્યારેય ન કરીએ !

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50