Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji
View full book text
________________
શું ન જાણવું જોઈએ ?' એની જાણકારી આપણને ખરી ?
ખબર તો ખરી, ખાતરીનું શું?
સંયમજીવનને દોષોથી અને અતિચારોથી જો આપણે બચાવતા રહેવા માગીએ છીએ તો
આ જીવનમાં આપણે શું કરવું જોઈએ ?' એની જાણકારી આપણને કદાચ મોડી મળે તો ચાલી જાય તેમ છે પરંતુ “શું ન કરવું જોઈએ ?” એની જાણકારી તો વહેલામાં વહેલી તકે મેળવી જ લેવી પડે તેમ છે આપણે.
કારણ ? દોષસેવન અને અતિચાર સેવનનો બહુધા સંબંધ નિષિદ્ધ આચરણના સેવન સાથે જ હોય છે. દશવૈકાલિક સૂત્રની આ પંક્તિ "©]ëÀ©]e? GEÁJ|oÁ2 wvY EAR AAY]60 ×|©I|' જીવ-અજીવને નહીં જાણનારો, સંયમ પાળી જ કેવી રીતે શકે?
આવો, વિકથા નથી જ કરવાની, રસલંપટતા નથી જ પોષવાની, પ્રમાદ નથી જ
શાસ્ત્રોના વાંચનથી આપણે એટલું તો ચોક્કસ સમજી ચૂક્યા છીએ કે ‘પાપ ખરાબ છે, દોષ-દુર્ગાન-દુર્ભાવ ખરાબ છે, પ્રમાદ ખરાબ છે, વિકારી નજર, પરનિંદા, વિરાધના ખરાબ છે’ પ્રશ્ન એ છે કે આ બધું “ખરાબ' છે એ તો આપણને સમજાઈ ગયું છે પરંતુ એની આપણને ‘ખાતરી’ થઈ ગઈ છે ખરી? યાદ રાખજો , “ખરાબ'ની સમજણ માત્રથી એનાથી આપણો છુટકારો નહીં થઈ જાય, એની ખાતરી જ આપણને એનાથી છુટકારો અપાવશે. સમજણનો અર્થ છે KNOWING જ્યારે ખાતરી નો અર્થ છUNDERSTANDING. આપણે ‘સમજણ' ને ‘ખાતરી’ માં રૂપાંતરિત કરીને જ રહીએ. આપણું કામ થઈ જશે.

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50