________________
શાસ્ત્ર અભ્યાસ બરાબર, સંવેદનાનું શું ?
મનનાં ગલત પરિણામ : વચન-કાયાનું બળ ન આપો.
શાસ્ત્રોની પંક્તિઓને સમજતા. ' રહેવાનો તો સંયમજીવનમાં અન્ય કે કોઈ વિકલ્પ જ નથી પરંતુ પ્રશ્ન એ છે - કે શાસ્ત્રની પંક્તિઓ જેમ વધુ ને વધુ
ખૂલતી જાય તેમ હૃદય વધુ ને વધુ છે સંવેદના અનુભવતું રહે છે કે કેમ?
જો એ બાબતમાં આપણી સતત પીછેહઠ જ થઈ રહી . હોય તો નિશ્ચિત સમજી રાખવા જેવું છે કે શાસ્ત્રપંક્તિઓનાં રહસ્યો ખોલી શકતી આ વિદ્વા
કદાચ આપણા આત્માની દુર્ગતિ સર્જીને જ રહેવાની છે. ચૌદપૂર્વના રચયિતા ગણધર ગૌતમ સંવેદનશીલ હૈયું ધરાવી શકે અને મામૂલી વિદ્યા ધરાવતા
નદીની ભલે ને લાખ ઇચ્છા છે કે મારે બે કાંઠે વહેવું નથી જ; પરંતુ ઉપરવાસમાં વરસાદ ધોધમાર હોય છે ત્યારે નદીને બે કાંઠે વહેવું ફરજિયાત બની જાય છે. કબૂલ, આપણે અંતરથી ઇચ્છીએ છીએ કે મનને અસંયમના પરિણામનું શિકાર નથી જ બનવા દેવું પરંતુ ભૂતકાલીન ભવોનો ગલત સંસ્કારોનો વારસો જો આપણે
અહીં લઈને જ આવ્યા છીએ તો મનને અસંયમના પરિણામનું શિકાર બનતું અટકાવવું મુશ્કેલ જ બની રહેવાનું છે. એક કામ આપણે કરી શકીએ. અસંયમના મનના પરિણામને વચનનું અને કાયાનું બળ તો હરગિજ ન જ આપીએ. ઘણાં બચી જશું.