Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ સવક્ષેત્રે સાવધ ખરા ? શ્રદ્ધાની મંદતા સમ્યદર્શન માટે જોખમી પુરવાર થાય છે એનો આપણને ખ્યાલ હોવાથી મનમાં જ્યાં પણ પ્રભુવચનો પ્રત્યે શંકાનો ભાવ ઊઠે છે ત્યાં એ જ પળે ત્યાંથી પાછા ફરી જવાની વૃત્તિ મનમાં જાગી જાય છે. પરંતુ સબૂર ! સવની કચાશ ચારિત્રજીવન માટે જોખમી પુરવાર થાય છે એનો આપણને ખ્યાલ ન હોવાથી આપણે સવવૃદ્ધિ માટે કે સવરક્ષા માટે એટલા સાવધ રહેતા નથી. અને આપણી આ અસાવધગીરી બની શકે કે આવતીકાલે આપણાં ચારિત્ર જીવન માટે આત્મઘાતક પુરવાર થાય. સાવધાન! ૪૭ દ્રવ્યમાં રાગ જીવંત તો દ્રવ્યક્રિયામાં ભાવ જીવંત કેમ નહીં ? ગોચરીનાં દ્રવ્યોમાં દૂધ કે ઘી, દાળ કે શાક, રોટલી કે ભાત ભલે ને રોજ આપણે વાપરીએ છીએ પણ એ દ્રવ્યોમાં આપણને રાગ થતો જ નથી એવું છાતી ઠોકીને કહી શકવાની સ્થિતિમાં આપણે નથી જ. પ્રશ્ન એ છે કે રોજના વપરાશનાં દ્રવ્યોમાં રાગને જીવંત રાખનારા આપણે રોજની આવશ્યક ક્રિયાઓમાં ભાવને જીવંત રાખીએ છીએ ખરા? જો ના, તો ભવાંતરમાં આપણી સાથે વારસો શેનો આવશે ? રાગનો કે બહુમાનભાવનો ? સંક્લેશનો કે અહોભાવનો ? ગલત વૃદ્ધિનો કે સમ્યક્ સંસ્કારોનો ? સાવધાન! ૪

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50