Book Title: Mare Mitra Banvu che
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 28
________________ ગુરુદેવના આનંદને આપણે સમજીએ પ્રભુની આજ્ઞાઓને આપણે જીવનના અંત સુધી ય સમજી શકશું ખરા ? ટૂંકું આયુષ્ય, મંદ ક્ષયોપશમ, નબળું શરીર અને નિઃસવ મન. આ નબળાં પરિબળોના સહારે આપણે પ્રભુથી થોડીક પણ આજ્ઞાઓ જો સમજી શક્યા તો ભયો ભયો ! કદાચ એમ કહું કે ચૌદ પૂર્વધરો પણ પ્રભુની બધી જ આજ્ઞાઓને સમજી શકતા નથી તો એમાં ય કોઈ અતિશયોક્તિ નથી. પણ, જો આપણે ગુરુદેવના આનંદને સમજવા માગીએ છીએ તો એમાં આપણને કોઈ જ તકલીફ પડે તેમ નથી. પ્રભુની આજ્ઞાઓને સમજવા પ્રયાસ જરૂર કરીએ પણ ગુરુદેવના આનંદને તો ૫૫ આજ્ઞા મુજબ જીવવું છે ? કે આનંદ મુજબ ? પ્રભુની આજ્ઞા મુજબનું જીવન બનાવવાના પ્રયાસો આપણે પછી કરશું, પહેલાં ગુરુદેવના આનંદ મુજબનું જીવન બનાવવા તો પ્રયત્નશીલ બનીએ ! યાદ રાખજો. મન બદમાશ છે. ગુરુદેવના આનંદને સમજી શકવા છતાં એ આનંદ મુજબ જીવન જીવવા એ તૈયાર થશે નહીં અને પ્રભુની આજ્ઞાઓને ન સમજી શકવા છતાં એ આજ્ઞાઓ મુજબ જીવન જીવવાનો જ એ આગ્રહ કર્યા કરશે! કારણ? આનંદ મુજબ જીવન જીવવા જવામાં સ્વચ્છંદવૃદ્ધિનું બલિદાન આપવું પડે છે જ્યારે આજ્ઞા મુજબ જ જીવન જીવવાના આગ્રહી બન્યા રહેવામાં અહં પુષ્ટ કરી શકાય છે. મનની આ બદમાશીને તોડવી છે ? આવો, ગુરુદેવના આનંદને જીવનનું લક્ષ્ય બનાવી દઈએ. આજ્ઞાનું પાલન જીવનમાં આવીને જ રહેશે ! દેવ અને ગુરુ બંને સચવાઈ જશે. ૫

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50