Book Title: Mahimla Mahodaya
Author(s): Balvijay Maharaj
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 158
________________ - ૧૪ર મહિલા મહોય. શીળવતી-જિનદત્ત શેઠની કન્યા અને અજિતસેન શેઠની પત્નિ હતી. એક વખત રાત્રીએ શીયાલણને શબ્દ સાંભળી તેણી માથા ઉપર ઘડો ધારણ કરી નદી ઉપર ગઈ. ને થોડા વખત પછી આવી શયન કર્યું, પરંતુ રાત્રીએ બહાર છાની રીતે જવાને માર્ગ લીધે. તેણીના સસરાને તેણની બદચલન માટે શક ગયે અને પિતાના પુત્રને તે શક ઠસાવી દઈ તેણુને પિયર વિદાય કરવા રથમાં બેસારી પતે પહોંચાડવા ગયે. રસ્તાણાં એક વહેતી નદી આવતાં સસરાએ તેણીને જેઠા ઉતારી નદી ઉતરવાનું કહ્યું, પણ તેણી તે જેઠા સહિત ઉતરી પેલી પાર ગઈ. એથી સસરાએ તેણીને સ્વચ્છેદચારિ જ માની લીધી. આગળ જતાં મગનું ખેતર આવ્યું જોઈ સસરાએ “આ ક્ષેત્રમાંથી તેના માલિકને ઘણે પાક મળશે એમ કહ્યું એટલે તેણુએ કહ્યું કે “જે એને કઈ આઈ નહીં જાય તો તેમ થશે. આથી સસરાને વધારે ખરાબ લાગ્યું, પુનઃ આગળ જતાં સમૃદ્ધિપૂર્ણ શહેર આવેલું જેમાં તેના સસરાએ શહેરનાં બહુ વખાણ કર્યા. એટલે વહુએ કહ્યું કે “એ ઉજક હોત તે વધારે સારું.” એવું કહેલું સાંભળી સસરાએ માની લીધું કે એ મારી મશ્કરી કર્યા કરે છે, હશે એનું ફળ તેને મળી જ રહેશે. તે પછી આગળ જતાં એક લડવૈયાને લેહી લુ હાણ થયેલ જે સસરાએ તેની વીરતા વખાણું, ત્યારે વહુએ તેની કાયરતા અને બાયલાપણું જાહેર કર્યું. અગાડી ચાલતાં વળી એક સુંદર ગામ આવ્યું તેને સાસરાએ વખાણ્યું કે - હુએ તે ગામને “ઉજડ છે એમ જણાવ્યું. તે પછી વળી એક ચાર ઝુંપડાં.વાળું ગામડું આવ્યું તેને વહુએ વસ્તીવાળું બતાવ્યું. તે ગામમાં શીળવતીને મામે રહેતે હતિ તેણે શેઠને જમાડ્યા. સત્કાર કરી બહુ આગ્રહ સહ રહેવાનું કહ્યું, પણ શેઠ વહુનું સાલ કહાડવા ધારતે હતો તેથી રહ્યો નહીં. એટલે તેણે કરંબાનું ભાતું બંધાવી વિદાય કર્યા. રસ્તામાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196