________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮] ચેલણાઃ સખી! અભયકુમારને બોલાવ. સખીઃ જી માતા! [ સખી જાય છે, ને અભયકુમાર સહિત આવે છે.
અભયકુમાર વંદન કરે છે ને પછી આશ્ચર્યથી પૂછે છે. ] અભયકુમાર: અરે માતા ! આપ કેમ બેચેન બની ગયા છો? ચેલણાઃ અરે, પુત્ર અભય! કયાં જૈનધર્મની જાહોજલાલીથી
ભરપુર વૈશાલીનગરી, અને કયાં આ રાજગૃહીનગર ! અહીં તો જ્યાં જુઓ ત્યાં બોદ્ધ, બૌદ્ધ ને બૌદ્ધ! જૈનધર્મ વગરનું આ રાજ્ય સુમસામ જંગલ જેવું લાગે છે. ભાઈ, જૈનધર્મના પ્રભાવ વગર મને ક્યાંય ચેન પડતું
નથી. અભય: સાચી વાત છે માતા! અહો! તે દેશને ધન્ય છે કે જ્યાં
તીર્થકરભગવાન પોતે બિરાજી રહ્યા છે. અરેરે! અહીં તો
જિનેન્દ્રભગવાનના દર્શન પણ દુર્લભ થઈ પડયા છે. ચેલણાઃ હા, નથી દેખાતા કોઈ જિનમંદિર કે નથી દેખાતા કોઈ
વીતરાગી મુનિરાજ !! અરેરે, આવા ધર્મહીન સ્થાનમાં
હું કયાં આવી પડી? અભયઃ માતા, અત્યારે સારા ભારતમાં બિહાર અને બંગાળ,
ઉજ્જૈન અને ગુજરાત, મારવાડ અને સૌરાષ્ટ્ર એ બધા દેશોમાં જૈનધર્મની જાહોજલાલી વર્તી રહી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com