________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૩૫] ચલણાઃ એ તો આગલા ભવમાં જેવા પુણ્ય-પાપના ભાવો જીવે
કર્યા હોય તેવા સંયોગ અત્યારે મળે છે. પુણ્યના ફળમાં અનુકૂળ સંયોગ મળે, પરંતુ ધર્મ તો તે બન્નેથી જુદી
ચીજ છે. અભયઃ માતાજી! આ વિચિત્ર સંસારમાં કોઈવાર અધર્મી જીવો
પણ સુખી દેખાય છે, ને કોઈવાર ધર્મી જીવો પણ દુ:ખી
થાય છે –તેનું શું કારણ? ચલણા: ભાઈ, અજ્ઞાની જીવોને સાચું સુખ કદી હોતું જ નથી.
આત્માનું અતીન્દ્રિયસુખ તે જ સાચું સુખ છે. તે અતીન્દ્રિયસુખ તો જ્ઞાનીને જ હોય છે, અજ્ઞાનીને તો તેની ગંધ પણ હોતી નથી. અધર્મી જીવોને જે સુખ દેખાય છે તે ખરેખર સુખ નથી પણ માત્ર કલ્પના છે. અજ્ઞાનીને પૂર્વ-પુણ્યના ઉદયથી બાહ્ય અનુકૂળતા હોય તો પણ ખરેખર તે દુ:ખી જ છે. ને જ્ઞાનીને કદાચિપાપના ઉદયથી બહારમાં પ્રતિકૂળતા દેખાય
તોપણ તે ખરેખર સુખી છે. અભયઃ માતા, પ્રતિકૂળતાને લીધે જ્ઞાનીની શ્રદ્ધા ડગી જતી નહિ
હોય? ચેલણાઃ નહિ ભાઈ, બિલકુલ નહીં. બહારમાં ગમે તેવી
પ્રતિકૂળતા હોય તોપણ સમકિતી ધર્માત્માના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com