Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૪] તેમના સમાચાર આવે ત્યાં સુધી આમ સુનમુન બેસી રહેવા કરતાં આપણે કાંઈક ધાર્મિક વાર્તા કરીએ, જેથી મનમાં પ્રસન્નતા થાય. ચલણાઃ હા પુત્ર! તારી વાત સાચી છે. આવા દુ:ખ સંકટમાં ધર્મનું જ શરણ છે. અભયઃ માતા ! આપના જેવા ધર્માત્મા ઉપર પણ આવા સંકટ કેમ આવતા હશે? ચેલણાઃ પુત્ર, પૂર્વે જેણે દેવ-ગુરુ-ધર્મની કાંઈક વિરાધના કરી હોય તેને જ આવી પ્રતિકૂળતાના પ્રસંગ આવે અભય: હું માતા ! પ્રતિકૂળસંયોગોમાં પણ જીવ ધર્મ કરી શકે? ચેલણાઃ હા ભાઈ ! ગમે તેવા પ્રતિકૂળ સંયોગ હોવા છતાં જીવ ધર્મ કરી શકે છે; બહારના કોઈ સંયોગ જીવને નડતા નથી. અભય: પણ અનુકૂળ સંયોગ હોય તો ધર્મ કરવામાં તે કાંઈક મદદ તો કરેને! ચલણા : નહિ, ભાઈ ! ધર્મ તો આત્માના આધારે છે, સંયોગના આધારે ધર્મ નથી. સંયોગનો તો આત્મામાં અભાવ છે. અભય: તો બહારમાં અનુકૂળ ને પ્રતિકૂળ સંયોગ કેમ મળે છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70