Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વૈરાગી વારિણકુમાર ધન્ય તે વૈરાગી વારિણકુમાર ! શ્રેણીક જેના પિતા, ને ચેલણા જેની માતા. એ વૈરાગી રાજકુમારને આત્માનું ભાન હતું અને ઘણીવાર સ્મશાનમાં જઈને આત્માનું ધ્યાન ધરતા; એકવાર સ્મશાનમાં જઈને તેઓ આત્મધ્યાન કરતા હતા, એવામાં એક ઘટના બની. રાજગૃહીના એક શેઠને ત્યાંથી એક કિંમતી હાર ચોરાઈ ગયો. ચારે કોર સિપાઈઓની દોડધામ મચી ગઈ, કેટલાક હાર શોધતાં શોધતાં ત્યાં આવ્યા-કે જ્યાં વારિણકુમાર ધ્યાનમાં ઊભા છે! પગ પાસે ઝગમગાટ થઈ રહ્યો છે. અરે, આ તો શેઠને ત્યાંથી ચોરાયેલો હાર! સૈનિક તો એ જોતાં જ દિંગ થઈ ગયો. અરે, શેઠને ત્યાંથી ચોરાયેલો હાર આ વારિષણ પાસે કયાંથી? નક્કી એની દાનત બગડી લાગે છે! ને હાર ચોરીને ધ્યાનનો ઢોંગ કરે છે ! સિપાઈઓએ તો હાર રાજકુમાર પાસે હોવાના સમાચાર રાજાને આપ્યા. રાજકુમારને જ ચોર સમજીને શિરચ્છેદની સજા થઈ... રાજકુમાર તો મૌન છે, શાંત છે, કાંઈ બોલતા પણ નથી; એણે તો મનમાં પ્રતિજ્ઞા કરી લીધી છે કે આ ઉપસર્ગ દૂર થતાં જ રાજપાટ છોડીને મુનિદીક્ષા ગ્રહણ કરવી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70