________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૦] નહિ હોય કે હું ક્યાં છું? હે પિતાજી! આપે જૈનધર્મના જે સંસ્કાર સીંચ્યા છે તેના બળે હવે તો હું જ મહારાજાને જૈન બનાવીશ, અને આપણા જૈનધર્મને
શોભાવીશ. અભય: ધન્ય માતા, આપના પ્રતાપે એમ જ થશે, અને એકવાર
સારા રાજ્યમાં જૈનધર્મની જાહોજલાલી ફેલાઈ જશે. ચેલણા: ભાઈ! વૈશાલીના પણ કાંઈ સમાચાર નથી.
ત્રિશલામાતાના નંદન મહાવીરકુમાર શું કરતા હશે? મારી નાની બેન ચંદના શું કરતી હશે ! અહો, તે દેશને ધન્ય છે કે જ્યાં તીર્થકર ભગવાન પોતે બિરાજી રહ્યા છે. અરે! ત્યાંના ક્ષેમકુશળના સમાચાર પણ સાંભળવા
મળે તો કેવું સારું! અભયઃ જુઓ, માતા, દૂરથી કોઈ દૂતી આવતી લાગે છે.
[ દૂતી આવે છે] ચેલણાઃ આવ બહેન આવ! શું છે મારા દેશના સમાચાર? ત્યાં
ચતુર્વિધ-સંઘ તો કુશળ છે ને! મહાવીરકુમાર હજી દીક્ષિત તો નથી થયાને? મારી નાની બહેન ચંદના તો
આનંદમાં છે ને? દૂતી: માતા, જૈનધર્મના પ્રતાપે ચતુર્વિધ સંઘ તો કુશળ છે;
મહાવીરકુમાર તો વૈરાગ્ય પામીને દીક્ષિત થઈ ગયા......
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com