________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૪] નથી. તમારો બૌદ્ધધર્મ તો એકાન્ત ક્ષણિકવાદી છે અને બૌદ્ધગુરુઓ સર્વજ્ઞતાના અભિમાનથી દગ્ધ છે. મારા અરિહંતદેવ સિવાય મોક્ષમાર્ગના પ્રણેતા આ જગતમાં કોઈ છે જ નહીં. રાજન્ ! તમારું પણ એ જ ધર્મ
અંગીકાર કર્યો કલ્યાણ થવાનું છે. શ્રેણીકા દેવી! એ ચર્ચા છોડો. આ રાજ્યમાં તમે ઇચ્છાનુસાર
જૈનધર્મને અનુસરો. જિનમંદિરો કરાવો, જિનેન્દ્રપૂજા અને મહોત્સવ કરાવો; તમારે માટે આ રાજ્યભંડાર ખુલ્લા છે. માટે તમે દુઃખ છોડો અને જેમ તમને પ્રસન્નતા ઉપજે તેમ કરો. તમારા જૈનધર્મને માટે જે કરવું હોય તે કરવાની તમને છૂટ છે. પરંતુ હું તો બૌદ્ધધર્મ જ પાળવાનો છું; બૌદ્ધધર્મ સિવાય બીજા કોઈ ધર્મને હું ઉત્તમ માનતો નથી.
[ શ્રેણીક ચાલવા માંડે છે. ત્યાં સામેથી અભયકુમાર આવે છે.] અભયઃ પિતાજી... ! અત્યારે બૌદ્ધધર્મના અભિમાનથી તમે
ગમે તેમ બોલો, પરંતુ મારી વાત યાદ રાખજો કે એકવાર મારી આ ચેલણામાતાના પ્રતાપે તમારે પણ જૈનધર્મના શરણે આવીને તમારું શીર ઝુકાવવું પડશે અને ત્યારે તમારા પશ્ચાત્તાપનો પાર નહીં
રહે.
શ્રેણીકઃ અરે, એ વાત છોડો. મારા બૌદ્ધગુરુઓ તો સર્વજ્ઞ છે,
તેઓ બધી વાત જાણી શકે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com