________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૫] ચેલણાઃ નહિ, મહારાજ! એ સર્વજ્ઞ નથી પણ સર્વજ્ઞતાનો દંભ
કરે છે. જેને હુજી આત્માના વાસ્તવિક સ્વરૂપની ખબર
નથી તે સર્વજ્ઞ કયાંથી હોઈ શકે! શ્રેણીકઃ અરે દેવી! પરીક્ષા કર્યા વગર એમ કહેવું તે ઉચિત
નથી.
અભય: ઠીક મહારાજ! આપના ગુરુ સર્વજ્ઞ હોય તો આજે
અમારે ત્યાં ભોજન માટે તેમને આમંત્રણ આપજો...
અમે તેમની પરીક્ષા કરીશું. શ્રેણીક: બહુ સારું, હું હમણાં જ મારા ગુરુને આ સમાચાર આપું છું.
( રાજા જાય છે.) ચેલણા: પુત્ર! હવે આપણે આપણા પ્યારા જૈનધર્મની પ્રભાવના
માટે સર્વે ઉપાયો કરી શકીશું. હવે હું મહારાજાને બતાવી દઈશ કે બૌદ્ધગુરુઓ કેવા દંભી છે! પરંતુ આટલાથી હુજી મને સંતોષ નથી; જ્યારે સારીયે નગરીમાં, ઘરે ઘરે.. બૌદ્ધની જગ્યાએ જૈનધર્મનો ઝંડો ફરકતો હશે અને જૈનધર્મના જયનાદથી આખી નગરી ગાજતી હશે,
ત્યારે જ મને શાંતિ થશે. અભયઃ હે માતા ! તમારા પ્રતાપે હવે એ અવસર બહુ દૂર નથી.
મને ખાતરી છે કે આપના પ્રતાપે હવે શ્રેણીક મહારાજા પણ થોડા જ વખતમાં બૌદ્ધધર્મને છોડીને જૈનધર્મના પરમ ભક્ત બની જશે...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com