Book Title: Maharani chelna
Author(s): Hiralal Jain
Publisher: Mahavir Nirman Mahotsava Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ ] અભયઃ અરે માતા! દુ:ખી ન થાવ. તમે તો અંતરના ચૈતન્યતત્વના જાણકાર છો; પરમ નિઃશંકતા, વાત્સલ્ય અને ધર્મપ્રભાવના વગેરે ગુણોથી આપ શોભો છો. માટે વૈર્યપૂર્વક અત્યારે તો આપણે એવો કોઈ ઉપાય વિચારીએ કે જેથી સારાય રાજ્યમાં જૈનધર્મના વિજયડંકા વાગી જાય. ચલણા: પુત્ર, એવો કોઈ ઉપાય તને સૂઝે છે? અભયઃ હા માતા! જુઓ, મહારાજાને તમારા ઉપર બહુ પ્રીતિ છે, એટલે તમે તેમને કોઈ પણ રીતે એ વાત સમજાવો કે બોદ્ધધર્મનો એકાંત ક્ષણિકવાદ મિથ્યા છે, અને અનેકાંતરૂપ જૈનધર્મ એક જ પરમ સત્ય છે. બસ! એક મહારાજાનું હૃદય પલટો, પછી તો આપણે બધુંય કરી શકીશું. ચેલણા: હા ભાઈ, તારી વાત સાચી છે. હું મહારાજાને સમજાવવા જરૂર પ્રયત્ન કરીશ. અભયઃ સારૂં માતા ! હું જાઉં છું. [અભયકુમાર જાય છે; દશ્ય બદલાય છે.] [ચલણા વિચાર મગ્ન બેઠી છે, શ્રેણીકરાજા આવે છે. એક સખી ચેલણાની પાસે બેઠી છે. ] સખી : બહેન, શ્રેણીકરાજા પધારે છે. શ્રેણીક: શું વિચાર કરો છો, દેવી! હમણાં ઉદાસ કેમ છો? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70