________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧] ચેલણાઃ હું! મહાવીરકુમાર દીક્ષિત થઈ ગયા !! અહા, ધન્ય છે
તેમના વૈરાગ્યને! ત્રિશલા બહેન મહા ભાગ્યશાળી છે. અરેરે! ભગવાનના વૈરાગ્યનો પ્રસંગ જોવાનું પણ
અમને ન મળ્યું. અભય: બેન, પણ ચંદનબાળાના સમાચાર તો તમે ભૂલી જ
ગયા! દૂતી: મારી માતા ! હું શું કહું? થોડા દિવસ પહેલાં
ચંદનાબેન અને અમે બધા સાથે જંગલમાં ખેલવા ગયા હતા, ત્યાં ચંદનબાળા અમારાથી છૂટી પડીને એકલી એકલી મુનિરાજની ભક્તિ કરતી હતી... ત્યાં કોઈ દુષ્ટ વિધાધર આવીને ચંદનાબેનને ઉપાડી
ગયો.. ચેલણાઃ હું, શું મારી બેનનું અપહરણ થયું! દૂતીઃ હા માતા, ઘણા દિવસથી ચારે બાજુ સૈનિકો તપાસ કરે
છે, પણ હજી સુધી કાંઈ પત્તો લાગતો નથી. ચલણાઃ હા.. વહાલી બેન ચંદના! તું કયાં હશે? અભયઃ માતા! વૈર્ય રાખો. અત્યારે આપણી કસોટીનો
કાળ છે. ચેલણા: ભાઈ, અત્યારે આ ચારે તરફની પ્રતિકૂળતામાં એક
તારો જ સહારો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com