________________
श्रीकुमारविहारशतकम्
(૨૧)
लयो ध्यानं तस्य घटना रचना तया स्फीतं पुष्टं यद्गीतं तदेवामृतं तस्य गीतामृतस्य, त्रिस्थानीसंनिवेशप्रणयसुरभिणः वल्लकीनादभाजः तद्विशेषणद्वयं યમ્ II૭ ||
| ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યમાં રાત્રિની યાત્રામાં આળસ વગરનો અને ચંદ્રની અંદર રહેલો હરિણ ત્રણે કાળ મોટી પૂર્ણિમાને દર્શાવે છે. કારણકે, તે ચૈત્યમાં સંગીતના નૃત્ય, ગીત અને વાજીંત્ર રૂપ ત્રણ સ્થાનના સ્નેહથી મનોહર, વીણાના નાદથી યુક્ત અને સર્વ
સ્વરોના લયની ઘટનાથી વ્યાપ્ત એવા ગાયનરુપ અમૃતની તૃષ્ણાના આવેશથી તે ગાયનના દરેક પદની રચના સાંભળવા ઉચા કાન કરીને આકાશમાં ઉભો રહે છે. ૧૭
' વિશેષાર્થ - આ શ્લોકમાં કવિ કુમારવિહાર ચૈત્યની ઉન્નતિની સાથે તેમાં થતી સંગીત પૂજાનું વર્ણન કરે છે. તે ચૈત્યમાં નૃત્ય, ગીત અને વાજીંત્રથી મળેલું તથા વીણાના નાદથી યુકત એવું સંગીત સદા કાળ થયા કરે છે. તે સંગીતને સાંભળવાની ઈચ્છાથી ચંદ્રની અંદર રહેલો મૃગ તે સ્થળે સ્થિર રહે છે એટલે ત્યાં સદા કાળ પૂર્ણિમાનો દેખાવ થઈ રહે છે. મૃગ જાતિને સંગીત સાંભળવાનો ઘણો જ શોખ હોય છે. એ શ્રવણેદ્રિયની આસક્તિને લઈને શિકારીઓના પાશમાં સપડાય છે અને પોતાના પ્રાણને પણ ગુમાવે છે. અહિં અતિશયોકિત અલંકાર છે. તે અલંકારથી કુમારવિહાર ચૈત્યની ઉન્નતિ અને તેમાં થતી સંગીત પૂજાનું વર્ણન કરેલું છે. ૧૭ बिभ्राणैरक्षरालीं त्रिभुवनजनताक्षेमरक्षकपाली मंत्रैर्विघ्नेक्षुयंत्रैः स्नपनविधिभवैर्नित्यमाहूयमानाः । यातायातानि भूयः प्रथयितुमनलंभूष्णवो यत्र देव्यो बाह्यानां देवधाम्नां व्यधिषत वसतिं मंडपोर्खागणेषु ॥१८॥