________________
श्रीकुमारविहारशतकम्
सिंहपृष्ठाधिरूढां अंबां बिभ्रत् यच्चैत्यं इह पृथिव्यां शिखरभूकोटिलीढांबरस्य हिमाद्रेः शोभां धत्ते । उन्मीलंती विकसंती या दृष्टिस्तया शमितो मनसिजो येन स तं । अंबां अंबिकां पक्षे पार्वतीं । शिखरस्य भूस्तस्याः कोटिरग्रभागः तयालीढं आश्लिष्टं अंबरं येन तस्य ||३८||
ભાવાર્થ - જે ઉઘાડેલી દૃષ્ટિના તેજથી કામદેવને શમાવનાર છે, ત્રણ જગતના લોકોએ જેની સેવા કરેલી છે અને સર્પોના ઈંદ્રોના સ્ફુટ એવા મણિઓના કિરણોની પંક્તિથી જેમનું મસ્તક ઉજ્જ્વલ છે એવા દેવને પ્રાપ્ત કરીને અને કુમારોના વ્યતિકરથી સુંદર તથા સિંહના પૃષ્ઠ ઉપર આરૂઢ થયેલા અંબિકાને ધારણ કરીને જે કુમારવિહાર ચૈત્ય પોતાના શિખરોની ભૂમિની કોટીથી આકાશને સ્પર્શ કરનારા એવા હિમાલય પર્વતની શોભાને ધારણ કરે છે. ૩૮
વિશેષાર્થ - આ શ્લોકમાં બે અર્થ રહેલા છે. એક પક્ષે શ્રી પાર્શ્વનાથ પ્રભુનો અર્થ થાય છે અને બીજે હિમાલયને પક્ષે શંકરનો અર્થ થાય છે. જ્યારે આ ચૈત્ય હિમાલયની શોભાને ધારણ કરે છે ત્યારે હિમાલયની અંદર જે રહેલ છે, તે આ ચૈત્યની અંદર આવવું જોઈએ. હિમાલયમાં શંકર અને પાર્વતી બંને રહે છે, એમ લૌકિકમાં કહેવાય છે, તો આ ચૈત્યમાં પણ શિવ રૂપે પાર્શ્વનાથ દેવ તથા અંબિકા રહે છે. શંકરે પોતાની દૃષ્ટિના તેજથી કામદેવને જેમ બાળ્યો છે, તેમ પાર્શ્વનાથ પ્રભુએ પણ દિવ્ય જ્ઞાન દષ્ટિથી કામદેવને શમાવેલો છે. જેમ જગતના મિથ્યાત્વી લોકો શંકર દેવની સેવા કરે છે, તેમ સર્વ જગતના સમકિતી લોકો શ્રી પાર્શ્વનાથ પ્રભુની સેવા કરે છે. શંકરને સર્પના આભૂષણો હોવાથી તેના મણિના કિરણોની શ્રેણીથી તેનું ઉત્તમાંગ ઉજ્વલ છે, તેવી રીતે પાર્શ્વનાથ પ્રભુના મસ્તક ઉપર સર્પ હોવાથી તેમનું મસ્તક પણ તેવી રીતે ઉજ્જ્વલ છે. શંકરની પાસે સિંહ ઉપર બેઠેલી અંબિકા દેવી પોતાના કુમાર એટલે કાર્તિકેયસ્વામી પુત્ર વડે યુક્ત છે, તેમ પાર્શ્વનાથ પ્રભુની પાસે તેમની અંબિકા નામે શાસનદેવી
...
૪૪
...