________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૪૩
(
૯મા ગુણસ્થાનકે અનંતાનુબંધી ૪ કષાય સિવાયના ૧૨ કષાય અને ૯ નોકષાય મળીને ૨૧ પ્રકૃતિનું અંતરકરણ કરે છે.
આ વખતે સંજવલન ૪ કષાયમાંથી ૧ કષાયનો અને ૧ વેદનો ઉદય હોય છે. જેથી તે બે પકૃત્તિઓની પ્રથમ સ્થિતિ ઉદયકાળ જેટલી કરે છે અને ૧૯ પ્રકૃત્તિઓની સ્થિતિ ૧ આવલિકા પ્રમાણે કરે છે.
સ્ત્રીવેદ અને નપુંસકવેદનો (સ્થિતિ) ઉદયકાળ તુલ્ય છે એટલે કે અલ્પ છે. તેનાથી સંખ્યાતગુણો અધિક પુરૂષવેદનો, તેનાથી વિશેષઅધિક-વિશેષઅધિક ક્રમે કરીને સંજવલનના ક્રોધ-માન-માયા લોભનો ઉદય હોય છે.
સંજવલન ક્રોધે શ્રેણી માંડનાર જીવને સંજવલન ક્રોધનો ઉદય, અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય ત્યાંસુધી જ ક્રોધનો ઉદય રહે છે તેજ પ્રમાણે સંજવલન માન-માયા-લોભમાં સમજી લેવું.
આ રીતે ક્રિયા કરતો કરતો બાદર લોભને શાંત કરીને ૧૦મા ગુણસ્થાનકે આવે છે. ૨૧ પ્રકૃત્તિના અંતરકરણની શરૂઆત સાથે કરે છે પણ પૂર્ણતા ક્રમસર કરે છે. અંતરકરણની ક્રિયા કરતાં ૧ સ્થિતિઘાત જેટલો કાળ લાગે છે.
અંતરકરણના દલિકોને, જેનો બંધ ઉદય ચાલુ છે તેના દલિકો બન્ને સ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃતિઓનો ઉદય છે પણ બંધ નથી તેને પ્રથમ સ્થિતિમાં નાંખે છે. જે પ્રકૃત્તિઓનો બંધ અને ઉદય નથી તે પ્રકૃતિઓના દલિકો સ્વજાતીય બંધાતી પર પ્રકૃત્તિમાં નાંખે છે. અંતરકરણના દલિકોને શરૂ કરેલ પર પ્રકૃત્તિમાં નાંખે છે. આ પ્રક્રિયા ચાલુ થતાં બીજા જ સમયે એકી સાથે ૭ કાર્યો શરૂ થાય છે. (૧) મોહનીય કર્મનો એક સ્થાનીયરસ બંધ (૨) સંખ્યાતવર્ષ પ્રમાણની સત્તા (૩) સંખ્યાતવર્ષ પ્રમાણ સ્થિતિબંધ (૪) સંખ્યાતવર્ષની ઉદીરણા (૫) ક્રમપૂર્વક સંક્રમણ (૬) લોભના સંક્રમનો અભાવ (૭) બંધાયેલા દલિકોની ૧ આવલીકા ગયાબાદ ઉદીરણા થાય છે અને તે વખતે નપુંસકવેદનો પૂર્વ પૂર્વ કરતાં ઉત્તરોત્તર અસંખ્ય ગુણાકારે ઉપશમ કરે છે.
અંતરકરણમાં પ્રવેશ કર્યા પછી મોહનીય કર્મનો બંધ સંખ્યાતગુણ હીન થાય છે અને બીજા કર્મોનો બંધ ક્રમસર અસંખ્યગુણહીન થાય છે. પછી અંતરમુહૂર્તમાં નપુંસકવેદને શમાવે છે.
પછી સ્રીવેદનો સંખ્યાતમો ભાગ ઉપશમ પામે ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા-અંતરાય આ ત્રણે ઘાતી કર્મોનો બંધ સંખ્યાત વર્ષ પ્રમાણ થાય છે ત્યાર બાદ સંખખ્યાતગુણહીનપણે બાંધે છે.