Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 102
________________ કર્મગ્રંથ-૨ વિવેચન વેદનીય = ૧ શાતા વેદનીય અથવા અશાતા વેદનીય. આયુષ્ય ૧ = મનુષ્યાયુષ્ય. ગોત્ર - ૧ ઉચ્ચગોત્ર પ્રકૃતિ. નામ - ૯/૧૦ પિંડપ્રકૃતિ ૨/૩ પ્રત્યેક - ૧ ત્રસ ૬. પિંડ - ૨ = મનુષ્યગતિ - પંચે. જાતિ અથવા મનુષ્યાનુપૂર્વી સાથે ગણીએતો ૩. - પ્રત્યેક ૧ = જિનનામ. વસ ૬ = ત્રસ બાદર પર્યાપ્ત સુભગ આદેય - યશ. ચૌદમાના અંતે ૧૨ અથવા ૧૩ પ્રકૃતિનો અંત થતાં જીવ સિધ્ધિ ગતિને પામે છે. આ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ચૌદમાના અંતે પ્રકૃતિઓનો અંત કરી સિધ્ધિ ગતિને પામ્યા - - - - - સત્તા સમામ. પરિશિષ્ટ - ગર ૧ બંધ પ્રકૃતિઓનું વર્ણન. ૧. જ્ઞાનાવરણીય ૫ - દર્શનવરણીય ૪ અંતરાય ૫ આ ૧૪ પ્રકૃતિઓ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે. ૨. નિદ્રા - પ્રચલા આ બે પ્રકૃતિ ૧ થી ૮ મા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી સતત બંધાય છે. ૩. થીણધ્ધીત્રિક પ્રકૃતિ એક અને બે ગુણસ્થાનકે સતત બંધાય છે. ૪. શાતાવેદનીય પ્રકૃતિ ૧ થી ૬ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય અને ૭ થી ૧૩ ગુણસ્થાનકે સતત બંધાય. ૫. અશાતા વેદનીય પ્રકૃતિ ૧ થી ૬ ગુણસ્થાનક સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે. ૬. ઉચ્ચગોત્ર પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાનરૂપે અને ૩ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત બંધાય છે. ૭. નીચગોત્ર પ્રકૃતિ ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે. ૮. નરકાયુષ્ય પ્રકૃતિ પહેલા ગુણસ્થાનકે બંધાય તો એક અંતરમુહૂર્ત સુધી સતત બંધાય છે.

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122