Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 104
________________ કર્મગ્રંથ-૨ વિવેચન ૯૯ ૨૪. સ્ત્રીવેદ પ્રકૃતિ - ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે. ૨૫. નપુંસકવેદ પ્રકૃતિ - પહેલે ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે. ૨૬. નરકગતિ-નરકાનુપૂર્વી પ્રકૃતિ બંધાય ત્યારે સતત એક અંતરમુહૂર્ત સુધી ચાર ગતિની સાથે પરાવર્તમાન રૂપે બંધાય છે. ૨૭. તિર્યંચગતિ-તિર્યંચાનુપૂર્વી પ્રકૃતિ બંધાય તો એક અંતરમુહૂર્ત સુધી સતત પહેલે ગુણસ્થાનકે ચારગતિની સાથે. બીજે ગુણસ્થાનકે નરક સિવાય ત્રણગતિની સાથે પરાવર્તમાનરૂપે બંધાય છે. ૨૮. મનુષ્યગતિ-મનુષ્યાનુપૂર્વી પ્રકૃતિ-૧-૨ગુણસ્થાનકે ચારગતિના જીવોને પરાવર્તમાન રૂપે અને ૩-૪ ગુણસ્થાનકે દેવતા- નારકીને સતત બંધાય છે. ૨૯. દેવગતિ-દેવાનુપૂર્વી પ્રકૃતિ ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન તથા તિર્યંચોને ૩ થી ૫ ગુણસ્થાનકસુધી, મનુષ્યને ૩ થી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી સતત બંધાય છે. ૩૦. એકેન્દ્રિય આદિજાતિ પ્રકૃતિ પહેલે ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય ૩૧. પંચેન્દ્રિય જાતિ પ્રકૃતિ પહેલે ગુણસ્થાનકે પરાવર્તમાન અને ૨ જાથી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી સતત બંધાય છે. ૩૨. ઔદારિક શરીર - ઔદારિક અંગોપાંગ, દેવતાનારકીનાજીવો ૧ થી ૪ ગુણસ્થાનક સુધી સતત અને મનુષ્ય - તિર્યંચોને ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે. ૩૩. વૈકીયશરીર-વૈકીયઅંગોપાંગ પ્રકૃતિ મનુષ્ય અને તિર્યંચો ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે તથા ૩ થી ૫ ગુણસ્થાનક સુધી તિર્યંચો અને ૩ થી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી મનુષ્યો સતત બાંધે છે. ૩૪. આહારકશરીર-આહારકસંગોપાંગ આ બે પ્રકૃતિ ૭માથી ૮ ગુણસ્થાનકના ૬ ભાગ સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે. ૩૫. તેજસ શરીર-કાર્પણ શરીર પ્રકૃતિ ૧ થી ૮ ગુણસ્થાનક ૬ ભાગ સુધી સતત બંધાય છે. ૩૬. ૧ લું સંઘયણ પ્રકૃતિ ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે ૩-૪ગુણસ્થાનકે દેવતા-નારકી સતત બાંધે છે. ૩૭. મધ્યમ ૪ સંઘયણ પ્રકૃતિ ૧-૨ ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે બંધાય છે.

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122