Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 119
________________ કર્મગ્રંથ-૨ વિવેચન ૧૧૪ શાતા અથવા અશાતા વેદનીય, પ્રત્યેકત્રિક, ઉપાંગત્રિક, સુસ્વર, નીચગોત્ર આ બહોતેરનો અંત થાય છે. બિસયરી ખઓઅ ચરિમે, તેરસમણુઅ તસતિગ જસાઈજ્જ, સુભગજિણચ્ચપણિદિય, સાયાસાયેગયર છેઓ II૩૩ના નરઅણુપુથ્વીવિણાવા, બારસ ચરિમસમમિ જો ખવિઉં, પત્તો સિધ્ધિ દૈનિંદ્ર વંદિઅં નમહ તં વી૨ ॥૩૪॥ અર્થ :- બિસયરી-બહોતેર, ખઓ-ક્ષય, ચરિમે-છેલ્લે સમયે, તેરસ-તેર, મણુઅમનુષ્યત્રિક, તસતિગ-ત્રસત્રિક, જસ-યશનામ, આઈજ્જ-આદેય, સુભગ-સૌભાગ્ય, જિણજિનનામ, ઉચ્ચ-ઉચ્ચગોત્ર, પણિદિય-પંચેન્દ્રિય જાતિ, સાય-શાતા વેદનીય, અસાયઅશાતાવેદનીય, એગયર-એ બેમાંથી કોઈપણ એકનો, છેઓ-છેદ, નરઅણુપુથ્વીમનાધ્યાનૂપૂર્વી, વિણાવા-વિના, બારસ-બાર પ્રકૃતિ, ચરિમસમયંમિ-છેલ્લે સમયે, જોખવિ– જે ખપાવીને, પત્તો-પામ્યા, સિધ્ધિ-સિધ્ધિ ગતિને, દેવિંદ-દેવેંદ્રો વડે, દેવેંદ્રસૂરિએ, વંદિઅંનમસ્કાર કરો, નમહ-વંદાયેલા, તેવીરું-તે મહાવીર સ્વામીને. ભાવાર્થ :- બહોતેરનો ક્ષય થતાં ચરિમ સમયે ૧૩ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મનુષ્યત્રિક, ત્રસત્રિક, યશ, આય, સુભગ, જિનનામ, ઉચ્ચ ગોત્ર, પંચેન્દ્રિય જાતિ, શાતા અથવા અશાતા વેદનીય આ ૧૩ હોય છે. અથવા મનુષ્યાનુપૂર્વી સિવાય છેલ્લા સમયે ૧૨ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. તેનો ક્ષય થાય ત્યારે સિધ્ધિ ગતિને પામે છે. આ રીતે દેવેન્દ્રસૂરિ મહારાજા, શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ચૌદમાના અંતે ૧૨ ને ખપાવીને સિધ્ધિ ગતિને પામ્યા એ રીતની સ્તુતિ કરે છે. RЯ KX

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122