Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 21
________________ યોગની વ્યાખ્યા] શકાતી નથી, તેથી જ જૈન શાસ્ત્રોએ ધ્યાનસિદ્ધિને આવશ્યક માની છે. - પ્ર–અમે તે એમ સાંભળ્યું છે કે જૈન ધર્મમાં કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત કરવા માટે તપનું વિધાન છે અને તમે ધ્યાનસિદ્ધિની વાત કરે છે. આમાં સત્ય શું સમજવું? . ઉ–તમે તપ વિષે જે કંઈ સાંભળ્યું છે, તે બરાબર છે, પણ જૈન ધર્મ તપને અર્થ ઘણે વિશાળ કર્યો છે, એટલે ધ્યાનસિદ્ધિ તેના પેટામાં સમાઈ જાય છે. આ રીતે ઉભય માન્યતામાં કઈ વિરોધ નથી. પ્રધ્યાનસિદ્ધિ તપના પટામાં કેવી રીતે સમાઈ જાય છે? ઉ– જૈન ધર્મમાં તપના બે વિભાગ પાડવામાં આવ્યા છેઃ બાહ્ય અને અત્યંતર, તથા તે બંને તપના છ છ પ્રકારો માનવામાં આવ્યા છે. અણસણ, ઊરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયલેશ (શારીરિક તિતિક્ષા) અને સંલીનતા (આસનસિદ્ધિ તથા એકાંતસેવન) એ બાહ્ય તપના છ પ્રકારે છે અને પ્રાયશ્ચિત, વિનય, વિયાવૃચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ અત્યંતર તપના છ પ્રકારે છે. આ રીતે ધ્યાન એ એક પ્રકારની અત્યંતર તપશ્ચર્યા હોઈ તપના પટામાં સમાઈ જાય છે. અહીં પ્રસંગવશાત્ એટલી સ્પષ્ટતા કરી લઈએ કે છ પ્રકારના અત્યંતર તપમાં પણ શ્રેષ્ઠતા ધ્યાનની જ છે, કારણ કે તે

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68