Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 61
________________ ૫૯ ધ્યાનસિદ્ધિ અને સમાધિ ] ગુણવાનના ગુણની અનુમોદના કરવામાં આવે છે અને હું પણ આવા ગુણવાળો ક્યારે થઈશ? એમ ચિંતવવામાં આવે છે. કારુણ્યભાવનાથી જગના દુઃખી જ પ્રત્યે કરુણ-દયા–રહેમની લાગણી દર્શાવી એનાં દુઃખ દૂર કરવામાં આવે છે અને કર્મવિપાકનું રૂ૫ ચિંતવી. કોઈ અશુભ કાર્યમાં પ્રવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. તેમજ માધ્યસ્થ ભાવનાથી બીજાના દોષ તરફ ઉપેક્ષા કરવામાં આવે છે કે જે જીવો કેઈની હિતશિક્ષા ધ્યાનમાં ન લેતાં ગમે તેવું અસદ્વર્તન કરે છે. નથી તે. તેનાં કાર્યની અનુમંદન કરવામાં આવતી કે નથી તે તેને તિરસ્કાર કરવામાં આવતું. કર્મવશાત્ પ્રાણીઓની સ્થિતિ આ પ્રકારની હોય છે, તેમાં મારે શેષ કે તિરસ્કાર શા. માટે કરવો? એમ વિચારી પિતાનાં મનને શાંત રાખવામાં આવે છે. શ્રી હેમચંદ્રાચાર્યે સમભાવનું સંધાન કરવા માટે આ ચારે ભાવનાઓને રસાયણતુલ્ય માની છે અને બીજા આચાર્યોએ પણ તેની ઘણી પ્રશંસા કરેલી છે. કેટલાકે તેને ધર્મબીજ પણ કહ્યું છે. ૧૫–ધ્યાનસિદ્ધિ અને સમાધિ - પ્રવ–ધ્યાનની ઉપયોગિતા અને તેના પ્રકાર સંબંધી તમે કેટલુંક વિવેચન પ્રારંભમાં કરી ગયા તે અમારાં લક્ષ્યમાં છે, પણ ધ્યાનસિદ્ધિ માટે જૈન મહર્ષિઓને શો. મત છે? ઉ–જૈન મહર્ષિઓ મનની ત્રણ અવસ્થા માને

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68