Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 23
________________ ધ્યાનની વ્યાખ્યા અને તેના પ્રકારે ] ૨૧ અતિ એટલે દુઃખ કે પીડાનું ચિંતન મુખ્ય હોય તે આર્તધ્યાન અને જેમાં રુદ્રતા એટલે હિંસા, ક્રોધ, વિર વગેરેનું ચિંતન મુખ્ય હોય તે રૌદ્ર ધ્યાન. આ બંને ધ્યાને અશુભ કર્મબંધના હેતુ હેવાથી અને તે કારણે સંસારમાં પરિભ્રમણ કરાવનારા હેવાથી હેય મનાયા છે, અર્થાત્ છેડવા ગ્ય ગણાય છે. શુભ ધ્યાનને પણ બે પ્રકારનું માનવામાં આવ્યું છે. જેમાં ધર્મનું ચિંતન મુખ્ય હોય તે ધર્મધ્યાન અને જેમાં વ્યાક્ષેપ તથા સંમેહાદિથી રહિત ઉજજવલ ધ્યાન હોય તે શુકલધ્યાન. આ બંને ધ્યાને કર્મને નાશ કરવામાં સમર્થ હોઈ ઉપાદેય લેખાયાં છે, અર્થાત આરાધવા ગ્ય મનાય છે. - પ્રવ–આર્તધ્યાન કેટલા પ્રકારનું છે? ઉ૦–ચાર પ્રકારનું. તે આ પ્રમાણે (૧) અનિષ્ટવસ્તુસંગ–અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિયોગને માટે નિરંતર ચિંતા કરવી. (૨) ઈષ્ટવિ ગ–કઈ ઈષ્ટ–મને નુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુનઃ પ્રાપ્તિ માટે સતત ચિંતા કરવી. (૩) પ્રતિકૂલવેદનાશારીરિક પીડા, માનસિક પીડા કે રેગ થતાં તેને દૂર કરવાની સતત ચિંતા કરવી. અને () ભેગલાલસા–ભેગની તીવ્ર લાલસાને વશ થઈ અપ્રાપ્ત ભેગોને પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કરવો અને મનને તેમાં જ જોડાયેલું રાખવું. પ્રવે–રૌદ્રધ્યાન કેટલા પ્રકારનું છે?

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68