Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ W VB ઇતિહાસપુરુષ આચાર્યશ્રી હસ્તીમલજી UGV પી. શિખરમલ સુરાણા ૧. ફક્ત દસ વર્ષની નાની વયે બાળક હસ્તીએ આ અસાર સંસારને છોડીને મુનિજીવન અપનાવી લીધું. સાડા પંદર વર્ષની કિશોરવયમાં તેમણે એટલી અર્હતા અને વિદ્વત્તા અર્જિત કરી લીધી હતી કે સંઘના આચાર્યના રૂપમાં એમનું મનોનયન કરી લેવામાં આવ્યું. જૈન ઇતિહાસમાં તેઓ સંભવતઃ સૌથી નાની વયના આચાર્યના રૂપમાં મનોનીત મુનિ બની ગયા. અને માત્ર ઓગણીસ વર્ષની તરુણ વયમાં તેઓ સંઘના આચાર્ય બની ગયા. - ૨. આચાર્ય બન્યા પછી એમણે ૬૧ વર્ષો સુધી આખા દેશમાં પગપાળા વિહાર કર્યો. પોતાની વિહારયાત્રાઓમાં એમણે પાંચ મહાવ્રતો અને કઠોર જૈન શ્રમણાચારનું પૂર્ણ પાલન કર્યું. ૩. એકસઠ (૬૧) વર્ષો સુધી પ્રતિદિવસ પોતાના પ્રભાવશાળી ઉપદેશોના માધ્યમથી એમણે જન-જનને માનવતાનો સાચો પાઠ ભણાવ્યો અને દુર્લભ માનવજીવનની મહત્તા સમજાવી. ૪. એમની મંગળ પ્રેરણાથી એમના સાંનિધ્યમાં પંચ્યાસી (૮૫) મુમુક્ષુઓએ દીક્ષા લીધી. દીક્ષિત સાધુ-સાધ્વીઓએ સ્વ અને પરનું કલ્યાણ કાર્ય કર્યું અને કરી રહ્યાં છે. જૈનશાસ્ત્રો અને અન્ય વિષયો ઉપર એમણે સરળ-સચોટ વ્યાખ્યાઓ (વિવેચનાઓ) લખી. ૬. તનાવ અને અજ્ઞાન નિવારણ માટે એમણે જન-જનને, પ્રતિદિન ‘સામાયિક અને સ્વાધ્યાય' કરવાની પુનિત પ્રેરણા આપી. આ રીતે, ‘સામાયિક-સ્વાધ્યાય’ના પ્રખર પ્રચારકના રૂપમાં એમણે પ્રચુર ખ્યાતિ અર્જિત કરી. 888888

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 386