________________
૧૩
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ તત્ત્વદૃષ્ટિવાળો જીવ પોતાના આત્મસ્વરૂપને જ મારાપણે અને પરપુદ્ગલાદિ દ્રવ્યને પરપણે નિશ્ચયપૂર્વક જાણીને ભલે સંસારમાં રહેલો છે તેથી અવિરતિ હોવા છતાં પણ તૃષ્ણાને આધીન થતો નથી. જો ચોથા ગુણઠાણાવાળા આત્માને તત્ત્વદૃષ્ટિ ખીલતાં-સ્વ-પરનો વિવેક પ્રગટ થતાં તૃષ્ણાનું વિષ ઉતરી જાય છે. તો પછી પાંચમાથી બારમા ગુણઠાણા સુધીના જીવો કે જે જીવો આત્માના ગુણોના પૂર્ણાનંદમાં જ મગ્ન છે તેવા જીવોને તૃષ્ણા હોય જ કેમ ? અને તૃષ્ણા ન હોવાથી જ દીનતાની પીડા પણ ન જ હોય. જો સર્પનું ઝેર ઉતરી જાય તો વિછીનું ઝેર ઉતરવું તે નાની વાત છે. “થ્વી માત્રા” કહેવાય છે. આ પ્રમાણે તત્ત્વજ્ઞાનાત્મકદષ્ટિ ખીલવાથી તૃષ્ણા જ ચાલી જાય છે તેથી પરભોગસુખોની યાચના રૂપ દીનતા ક્યારેય સંભવતી જ નથી. ૪
पूर्यन्ते येन कृपणास्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ॥५॥
ગાથાર્થ :- પરદ્રવ્યના સંયોગ વડે જે લોભી જીવો પોતાને પૂર્ણ માને છે તેની ઉપેક્ષા કરવી તે જ સાચી પૂર્ણતા છે. (પરદ્રવ્યના સંયોગાત્મક પૂર્ણતા ત્યજવા લાયક છે). કારણ કે પરદ્રવ્યના સંયોગાત્મક જે પૂર્ણતા છે. એ સાચી પૂર્ણતા નથી. આવા પ્રકારની આત્માના ગુણોના ઉપભોગથી પૂર્ણ આનંદરૂપી અમૃતથી સિંચાયેલી દૃષ્ટિ મહાત્મા પુરુષોની હોય છે. પા
ટીકા :- પૂર્યા રૂતિ-ચેન પર સંયોગેન ધનધાન્યાવિના “પUT:” મમ: आत्मधर्मसंपद्विकलाः परास्वादनरसिकत्वेनात्मानं धन्यं मन्यमानाः, वस्तुधर्मे થીરતાન્યા: “પૂર્વ” પ્રવુરા મવત્તિ સT ‘પૂતા' ઉપાધિના “પેક્ષા અa" अनङ्गीकारयोग्या एव । अथवा तदुपेक्षा एव, न हि एषा पूर्णता, किन्तु पूर्णतात्वेन उपेक्षते आरोप्यते इत्यर्थः ।
ધન-ધાન્ય-પરિવાર-વસ્ત્ર-અલંકાર-ઘર-હાટ વગેરે પદ્ગલિક પદાર્થો અને અન્ય જીવાદિ પરપદાર્થોની પ્રાપ્તિ થવાથી કૃપણ એટલે કે લોભી મનુષ્યો અર્થાત્ આત્મીય ધર્મની સંપત્તિ વિનાના ભોગી જીવો પરપદાર્થના ઉપભોગમાં જ રસિક હોવાથી પરપદાર્થની પૂર્ણતાથી પોતાની જાતને ધન્ય ધન્ય માને છે. વાસ્તવિક વસ્તુસ્થિતિ સમજવામાં જેઓ ધીરતા વિનાના અને બુદ્ધિહીન છે તેવા આત્માઓ પરદ્રવ્યના સંયોગ વડે પોતાની જાતને પૂર્ણ માનનારા મૂઢ જીવો ઘણા ઘણા હોય છે. પરંતુ ખરેખર તે પૂર્ણતા પરપદાર્થના સંયોગાત્મક હોવાથી