Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 187
________________ ૧૫૪ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર સ્થિતિ-રમણતા, અવસ્થાન, સાર એ છે કે સંક્ષેપપૂર્વક જરૂરી એવા આત્મજ્ઞાનમાં જ વિશ્રાન્તિ કરવી - એવી મર્યાદાવાળા જ્ઞાનમાં જ વર્તે છે. વૃત્તાત્મસંતુષ્ટિઃ એટલે આત્માને ઘણો જ સંતોષ થાય એવા પ્રકારની આ જ્ઞાનસ્થિતિ હોય છે. આત્મતત્ત્વને જ ગ્રહણ કરવું અને પરપરિણતિનો ત્યાગ કરવો એ જ નિર્ઝન્થ એવા મુનિના જ્ઞાનની સીમા છે. મુનિનું જ્ઞાન આવી સીમાવાળું જ હોય છે. આવા નિર્ચન્દમુનિ ક્યારેય પણ આત્મતત્ત્વને છોડીને પરભાવની પરિણતિના જ્ઞાનમાં જતા નથી. લક્ષ્મણરેખા ક્યારેય ઓળંગતા નથી. /પી. "अस्ति चेद् ग्रन्थिभिद् ज्ञानम्, किं चित्रैस्तन्त्रयन्त्रणैः । प्रदीपाः क्वोपयुज्यन्ते ?, तमोजी दृष्टिरेव चेत् ॥६॥ ગાથાર્થ - જો રાગ અને દ્વેષનો નાશ કરનારું સમ્યજ્ઞાન આત્મા પાસે છે તો પછી અનેક પ્રકારના શાસ્ત્રોના બંધન વડે શું કામ છે ? જો અંધકારનો નાશ કરનારી દૃષ્ટિ છે તો પ્રદીપોની (દીપકોની) શું જરૂર છે? ll ટીકા :- “મસ્તીતિ"-૨-સ્થિfમ-સ્થિભેદોત્પન્ન, વિષપ્રતિમાસ –विकलम् आत्मधर्मवेद्यसंवेद्यरूपं ज्ञानं प्रतिभासः अस्ति, तन्त्रयन्त्रणैः चित्रैः-अनेकप्रकारैः परसाधनानिमित्तैः किं ? न किमपि । सम्यग्दर्शनज्ञानचारित्रभावपरिणतस्य किं परापेक्षया ? तत्र दृष्टान्तः, चेत् दृष्टिः-चक्षुः तमोजी = तमः-अन्धकारं, तस्य नी = हन्त्री (तद् हन्तीति) प्राप्ता, तदा प्रदीपाः क्व उपयुज्यन्ते ? न क्वापि । दृष्टिः सर्वावलोकनक्षमा तर्हि सहायभूतदीपस्य किं प्रयोजनम् ? વિવેચન - ગ્રન્થિભેદ દ્વારા ઉત્પન્ન થયેલું, વિષય પ્રતિભાસ વિનાનું, આત્માના ધર્મસ્વરૂપ વેદ્યસંવેદ્યાત્મક એવું જ્ઞાન જો આ આત્મા પાસે છે તો પછી અનેક પ્રકારના શાસ્ત્રોનાં નિયંત્રણો (બંધનો) વડે સર્યું. તેની કંઈ જ જરૂર નથી. સાર એ છે કે – મિથ્યાત્વ ગુણઠાણે થતું માત્ર વિષયોને જણાવનારું આત્મતત્ત્વના સ્પર્શ વિનાનું જે જ્ઞાન છે તે વિષયપ્રતિભાસ માત્ર કરાવનાર હોવાથી આ જીવને ઉપકારક થતું નથી. તેથી તેને છોડીને ચોથા ગુણઠાણેથી થયેલું જે જ્ઞાન છે તે આત્માના કલ્યાણને કરનારું છે. માટે રાગ અને દ્વેષની દુર્ભેદ્ય એવી ગ્રન્થિનો અપૂર્વકરણ દ્વારા ભેદ કરવાથી ઉત્પન્ન થયેલું અને માત્ર વિષયપ્રતિભાસવાળું નહીં, પરંતુ આત્મતત્ત્વને સ્પર્શ કરનારું અર્થાત્ આ આત્માને પરદ્રવ્યના સંગથી મુક્ત કરવામાં અસાધારણ કારણભૂત એવું આત્મપરિણતિમદ્ અને તત્ત્વસંવેદન રૂપ જ્ઞાન થયું હોય તથા જે જ્ઞાન વેદ્યસંવેદ્યસ્વરૂપ છે એવું જ્ઞાન જો થયેલું છે તો તે જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233