Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 216
________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ આધ્યાન યોગ : અધ્યાત્મયોગનો અભ્યાસી થયો છતો પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આમ ચાર પ્રકારની ભાવના ભાવવા સ્વરૂપ પરિણતિમાં એકધ્યાનવાળો બનેલો જે જીવ છે તે ધ્યાનયોગી અર્થાત્ આધ્યાનયોગી કહેવાય છે. યોગબિંદુ ગાથા ૩૬૨ આ પ્રમાણે છે शुभैकालम्बनं चित्तं ध्यानमाहुर्मनीषिणः । સ્થિરપ્રવીપતપૂર્ણ, સૂક્ષ્માભોગસમન્વિતમ્ ॥રૂદ્દરા ૧૮૩ શુભતત્ત્વોના જ એક આલંબનવાળું જે ચિત્ત, તેને પંડિતપુરુષો ધ્યાનયોગ કહે છે જે ચિત્ત સ્થિરપ્રદીપતુલ્ય છે અને સૂક્ષ્મતત્ત્વોના ઉપયોગથી યુક્ત છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે. પ્રાધ્યાનું પ્રશસ્તાર્થવિષયં સ્થિરપ્રવીપસવૃશમુત્પાતાવિવિષયસૂક્ષ્મોપયો યુવતં વિત્તમ્ । (૪) સમતાયોગ : अविद्याकल्पितेषूच्चैरिष्टानिष्टेषु वस्तुषु । संज्ञानात्तद्व्युदासेन, समता समतोच्यते ॥ ३६४॥ ધ્યાનના બલ દ્વારા ભસ્મીભૂત કર્યું છે મોહનીય કર્મ જેણે એવો આત્મા તપ્તત્વાદિ ભાવોની પરિણતિ વિનાનો (ક્રોધ-માન-માયાદિની પરિણતિ વિનાનો) જ્યારે બને છે ત્યારે સમતાયોગી કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૪ આ પ્રમાણે છે - - - અત્યન્ત અજ્ઞાનદશાથી કલ્પાયેલી ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુઓમાં સમ્યગ્નાન થવાથી તે અજ્ઞાનદશાપૂર્વકની ઈષ્ટાનિષ્ટબુદ્ધિનો ત્યાગ કરીને રખાયેલી જે સમતા તે સમતાયોગ કહેવાય છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે અવિદ્યાલ્પિતેત્વાનિષ્ટત્વસંજ્ઞાપરિહારે शुभाशुभानां विषयाणां तुल्यताभावनम् । (૫) વૃત્તિસંક્ષયયોગ અન્યજીવદ્રવ્ય તથા પુદ્ગલદ્રવ્ય વગેરેના સંયોગે કર્મના ઉદયને આધીન એવી અનાદિકાળથી પ્રવર્તતી જીવની જે વૃત્તિ છે (મોહોદયજન્ય જે પ્રવૃત્તિ છે) તેનો ફરી ન આવે તે રીતે જે ક્ષય કરીને આત્મસ્વરૂપમાં જ જે વર્તવું તેને વૃત્તિસંક્ષયયોગ કહેવાય છે. તેવા જીવને વૃત્તિસંક્ષયયોગી કહેવાય છે. યોગબિંદુ શ્લોક ૩૬૬ તે આ પ્રમાણે છે अन्यसंयोगवृत्तीनां, यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण, स तु तत्संक्षयो मतः ॥ ३६६॥

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233