________________
૧૧
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧ ધન આ જ છે” આ જ ધન મારી સાથે સદા રહેવાનું છે. એમ સમજીને નિર્વિકલ્પદશાવાળા બનવું જોઈએ. III
जागर्ति ज्ञानदृष्टिश्चेत्, तृष्णाकृष्णाहिजाङ्गुली । पूर्णानन्दस्य तत्किं स्यादैन्यवृश्चिकवेदना ? ॥४॥
ગાથાર્થ :- જો તૃષ્ણારૂપી કાળા નાગનું દમન કરવામાં “ગારૂડિક મંત્ર સમાન” એવી જ્ઞાનદશા જેની જાગે છે તેવા પૂર્ણાનંદસ્વભાવી જીવને દીનતારૂપી વિંછીની વેદના શું થાય? અર્થાત્ ન થાય. //૪
ટીકા - ના-ર્તિ જ્ઞાનેતિ, - “જ્ઞાનવૃષ્ટિ:” તત્ત્વજ્ઞાનરૂપા દ્રષ્ટિઃ વક્ષ: जागर्ति-विकाशरूपा प्रवर्तते, तस्य “पूर्णानन्दस्य" स्वरूपाविर्भावास्वादानन्दयुक्तस्य भगवतः “दैन्यं" दीनता, तद्रूपा वृश्चिकवेदना किं स्यात् ? अपि तु न स्यात् । दैन्यंन्यूनं तस्य न भवति स्वीयसहजाप्रयासानन्दस्य पूर्णतैव भवति । कथम्भूता ज्ञानदृष्टिः ? तृष्णाकृष्णाहिजाङ्गली, तृष्णा पुद्गलभोगपिपासा, सा एव कृष्णाहिः-कृष्णसर्पः, तद्दमने जाङ्गुली-गारुडमंत्रविशेष इति ।
જો તત્ત્વજ્ઞાન રૂપી આત્મદષ્ટિ (અંતર્થક્ષુ) આ આત્મામાં જાગે છે. મારું તત્ત્વ શું? અને પરપદાર્થ શું ? મારે કોને પ્રેમ કરાય ? કોને પ્રેમ ન કરાય ? આવી આન્તરિક પરિણતિ શુદ્ધ બનીને વિકસ્વરપણે જેને પ્રવર્તે છે. તેવા આત્મસ્વરૂપની પ્રગટતાવાળા જ્ઞાનાનંદી ભગવાનસ્વરૂપ આ જીવને પરપદાર્થોની યાચના કરવા સ્વરૂપ જે દીનતા છે તે દીનતારૂપી વિંછીની વેદના શું હોય? અર્થાત્ ન જ હોય. કારણ કે દીનતા એટલે ન્યૂનતા, પરપદાર્થો તરફ ઓછાશ, મારે આ નથી અને તે નથી આમ પરપદાર્થોની જે અપેક્ષા તે દીનતા આવા પ્રકારની પરપદાર્થોની અપેક્ષા જ આ જીવને હોતી નથી, તેથી તેને દીનતાની પીડા સંભવતી નથી. પરપદાર્થોની પ્રીતિ રૂપ તૃષ્ણા જેને હોય છે તેને જ યાચનારૂપી દીનતા હોય છે. જેને તત્ત્વજ્ઞાનાત્મક દૃષ્ટિ વિકસે છે તેને પોતાના સ્વાભાવિક અલ્પપ્રયાસથી સાધ્ય એવા સ્વકીય ગુણોના આનંદવાળા જીવને) પોતાના ગુણોની જ પૂર્ણતા દેખાય છે. તેથી પરપદાર્થ તરફ દૃષ્ટિ થતી જ નથી. તેના કારણે તેના માટે દીનતા દાખવવા રૂપી વિંછીની પીડા તે જીવને કેમ હોય ? અર્થાત્ તે પીડા સંભવતી નથી.
આ તત્ત્વજ્ઞાનાત્મક દૃષ્ટિ કેવી છે? “તૃષ્ણા” એટલે કે પૌદ્ગલિક પાંચે ઈન્દ્રિયોનાં વિષયસુખો ભોગવવાની તમન્ના, તે રૂપી જે કાળો નાગ છે તેનું દમન કરવામાં આ તત્ત્વદૃષ્ટિ