________________
જ્ઞાનમંજરી પૂર્ણાષ્ટક - ૧
૨૩ જ્યારે આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક ગુણોના અનુભવ રૂપ સુખનો ભલે લેશ જ માત્ર હોય તો પણ તે પરમ અમૃતમય જીવન છે. કારણ કે જ્યાં આવી વિભાવદશા-કાષાયિકવૃત્તિઓ નથી, સ્થિર દરીયાતુલ્ય શુદ્ધ મનોવૃત્તિ હોય છે. જ્યારે પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલું પૌલિક સુખ ઘણું ઘણું હોય તો પણ તે સુખ રાગાદિ કષાયો કરાવનાર છે. તેનાથી આત્માના શુદ્ધ ગુણોનું આવરણ જ થાય છે. માટે મહાદુઃખમય છે. જેમ કોઈ એક સત્તાધીશ મનુષ્ય બીજા મનુષ્યને સારું સારું ખાવા-પીવાનું આપે, રહેવા સારું મકાન આપે, સુખસગવડતા આપે પણ તેના પરિવાર સાથે (પત્ની અને બાળકો સાથે) મળવા ન દે. તેના પોતાના પરિવારથી સદા દૂર જ રાખે, તો તે બહારનું સુખ પણ દુઃખ જ છે. તેમ આ ભૌતિક સુખ પણ મોહ કરાવવા દ્વારા સ્વગુણોનું આવારક છે. એટલે કે સ્વગુણોની પ્રાપ્તિથી દૂર જ રાખે છે. માટે મહાન દુઃખરૂપ છે.
અહો આશ્ચર્ય સાથે દુઃખની વાત છે કે બંધાયેલું પુણ્ય) કર્મ અને સત્તામાં રહેલું પુણ્યકર્મ આત્માના ગુણોનું એવું આવારક નથી, પરંતુ વિપાકોદયમાં આવેલું પુણ્યકર્મ (રાગાદિ કષાયો કરાવવા દ્વારા) આત્માના નિર્મળ ગુણોનું આચ્છાદન કરીને આ આત્માને મૂઢ (ગાંડો) બનાવી દે છે. આ કારણે જ બંધકાલ અને સત્તાકાલ કરતાં ઉદયકાલ અતિશય (દારુણ) ભયંકર છે. જેના વડે આત્માના ગુણોનું વર્તમાનકાલે આવરણ કરાય છે. તેથી હે આત્માનું! તારે આત્માના સ્વરૂપના સુખમાં જ પ્રીતિ-વિશ્વાસ કરવા જેવાં છે. પદ્ગલિક સુખોનો અનુભવ આ જીવને અંધ કરનાર છે. સ્વગુણોની સંસ્મરણતા અને રમણતા એ આ આત્માને સતત જાગૃત રાખનાર છે. ૭l
कृष्णे पक्षे परिक्षीणे, शुक्ले च समुदञ्चति । द्योतते' सकलाध्यक्षा, पूर्णानन्दविधोः कला ॥८॥
ગાથાર્થ - કૃષ્ણપક્ષ ક્ષીણ થયે છતે અને શુક્લપક્ષ શરૂ થયે છતે આત્મગુણોના પૂર્ણાનન્દરૂપી ચંદ્રમાની કલા સર્વ જનને પ્રત્યક્ષ એવી પ્રકાશિત થાય છે. Iટા
ટીકા - Mો પક્ષે રૂતિ-કૃષ્ણ પક્ષે પરિક્ષી-ક્ષક્ષ્ય પ્રાપ્ત, ગુવન્ને પક્ષે समुदञ्चति-उदयं प्राप्ते सति "सकलाध्यक्षा"-सकलजनप्रत्यक्षा विधो:-चन्द्रस्य कला द्योतते इति लोकप्रवृत्तिः । एवं कृष्ण पक्षे अर्धपुद्गलाधिकसंसाररूपे क्षीणे सति,
૧. દ્યોતને સત્નાધ્યક્ષા , પૂનવિધો: સ્ના: આમ પ્રસિદ્ધપાઠ બહુવચનવાળો છે. પણ ટીકાકારશ્રીએ
મૂલમાં તથા ટીકામાં સર્વત્ર એકવચન કર્યું છે. એટલે અમે પણ એકવચન વાળો જ પાઠ રાખેલ છે.