Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 139
________________ ૧૦૬ મોહત્યાગાષ્ટક- ૪ જ્ઞાનસાર ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરાતો હોવા છતાં પણ ગામ પહોંચીને ઘરમાં જતાં કે ઉપરના મજલાઓમાં ચઢતાં તે ઘોડાનો અને ગાડીનો ત્યાગ જ કરવાનો હોય છે તેમ અહીં પ્રશસ્તમોહ સાધનાથકાલે કરવા લાયક છે તો પણ સાધ્યની પૂર્ણપણે જેમ જેમ સિદ્ધિ થતી જાય છે તેમ તેમ ત્યજવા લાયક છે. સાધનાકાલે સુદેવ-સુગુરુ અને સુધર્મ ઉપકારક છે. તેનાથી જ સંસાર તરાય છે. તે પ્રત્યેનો રાગ પરદ્રવ્યોના રાગને અને કુદેવાદિના રાગને મુકાવનાર છે. માટે પ્રારંભકાલે કરવા લાયક છે તો પણ “આ પણ વિભાવદશા જ છે” જીવને પરપ્રત્યેનું જ આકર્ષણ છે તે પણ એક પ્રકારનું બંધન જ છે. શ્રી ગૌતમસ્વામીજીને પ્રભુ મહાવીર સ્વામી પ્રત્યે જેમ અપ્રતીમ રાગ હતો તે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં બંધન જ બન્યો. માટે “આ પણ વિભાવદશા જ છે” આમ શ્રદ્ધાપૂર્વક મનમાં નિર્ણય કરવો જોઈએ. પણ સદા ઉપાદેય છે આમ ન સ્વીકારવું. જો કે જેમ જેમ સાધ્યની સિદ્ધિ થતી જાય છે તેમ તેમ આ પ્રશસ્તમોહ તીવ્રમાંથી મંદ, મંદતર અને મંદતમ ભાવે પરાવર્તન પામે છે અને અંતે નાશ પણ પામે જ છે. પરંતુ જ્યારે તે વર્તે છે ત્યારે તે “આત્માની નિર્મળ શુદ્ધ પરિણતિ છે” આમ ન માનવું, આ પણ એક પ્રકારનો રાગ જ છે, મોહ જ છે, વિભાવદશા જ છે. માટે અશુદ્ધપરિણતિ જ છે. અત: = આ કારણથી આત્માની નિર્મળ શુદ્ધ પરિણતિ સાધવામાં અપ્રશસ્ત કે પ્રશસ્ત એમ બન્ને પ્રકારના મોહનો સર્વથા પરિત્યાગ કરવો. એટલે કે અપ્રશસ્ત અને પ્રશસ્ત એમ બને પ્રકારના મોહનો સંપૂર્ણપણે નાશ કરવાનો હોય છે. આવી જ શ્રદ્ધા રાખવી. મનમાં માનવું કે અંતે આ પ્રશસ્તમોહ પણ છોડવાનો છે. કારણ કે કોઈપણ પ્રકારનો મોહ હોતે છતે મોક્ષ થતો નથી. આ પ્રમાણે મોહ ઉપર ચાર નિક્ષેપા સમજાવીને હવે સાતનય સમજાવે છે - आद्यनयचतुष्टये कर्मवर्गणापुद्गलेषु तद्योगेषु तद्ग्रहणप्रवृत्त्या सङ्कल्पे कर्मपुद्गलेषु सत्तागतेषु बध्यमानेषु चलोदीरितेषु उदयप्राप्तेषु अशुद्धविभावपरिणामरूपमोहहेतुषु मोहत्वम् । शब्दादिनयत्रये मोहपरिणतचेतनापरिणामेषु मिथ्यात्वासंयमप्रशस्ताप्रशस्तरूपेषु मोहत्वम् । अत आत्मनोऽभिनवकर्महेतुः मोहपरिणामः । मोहेनैव जगद् बद्धम्, मोहमूढा एव भ्रमन्ति संसारे । यतः ज्ञानादिगुणसुखरोधकेषु चलेषु अनन्तवारमनन्तजीवैर्भुक्तमुक्तेषु जडेषु अग्राह्येषु पुद्गलेषु मनोज्ञामनोज्ञेषु ग्रहणाग्रहणरूपो विकल्पः मोहोद्भवः । तेनायं पुद्गलासक्तः मोहपरिणत्या पुद्गलानुभवी स्वरूपानवबोधेन मुग्धः પરિશ્રમતિ અત: મોહત્યારો હિતા . ૩ - કર્મરૂપે બનવાને યોગ્ય એવાં કામણ વર્ગણાનાં પુદ્ગલોને વિષે તથા તદ્યોmy = તે

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233