Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 173
________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! - અધ્યાપક ટી. એલ. વાસવાણી જણાવે છે, “સુખમનીમાં ગુરુ અર્જુને પેાતાના અંતરાત્મા ઠાલવ્યો છે. ... તેમનાં પદો પરમ વિશ્વાત્માને,— માનવસૃષ્ટિના પરમ ઐકયને – કવિ હ્રદયે અર્ધેલી અંજલીરૂપ છે ... ‘સુખમની ’ શબ્દના અર્થ મનની શાંતિ અથવા પ્રસન્નતા થાય છે. તેથી તેને હું ‘શાંતિપ્રસન્નતાની ગાથા', કહું છું.... અનેક, વાર મને લાગ્યું છે કે, 'ભગવદ્ગીતા' અને ‘સુખમની’ એ બે એવાં પુસ્તકો છે કે, જેમને દરેક હિન્દી યુવાને અવશ્ય જાણવાં જોઈએ.” ૧૫૨ ‘સુખમની ’ શબ્દના અર્થ ભાવુક શીખા ‘સુખના મણિ' કહે છે. પારસમણિને અડવાથી જેમ લેાઢું પણ સુવર્ણ બની જાય, તેમ આ ‘સુખમની’ રૂપી મણિને સ્પર્શતાં — સેવતાં જ, ખરેખર, મન પ્રસન્નતાના અગાધ સાગરમાં તરબાળ થઈ જાય છે. મૂળ પાઠ, શબ્દાર્થ, ગદ્ય અનુવાદ અને વિવરણ સાથે. શ્રી જપજી [ગુરુ નાનકદેવ કૃત r સૌંપાદક : મગનભાઈ દેસાઈ કિ‘. ૪-૦૦ [આદિવચન : ગાંધીજીનું] · જે દેશની સેવા કરવા ઇચ્છે છે, જે ઈન્નુરને ઓળખવા ઇચ્છે હિંદુસ્તાનના કરોડોનું ઐકય સાધવા ઇચ્છે છે, તે માત્ર છે, જે પેાતાના જ ધર્મના કંઈક અભ્યાસ કરીને સંતોષ વાળી બેસી શકતા નથી. તેઓએ હિંદુસ્તાનમાં ચાલતા ધર્મ ને સંપ્રદાયાનાં મૂળતત્ત્વો તે તે ધર્મ કે સંપ્રદાયના અનુયાયીની દૃષ્ટિએ સમજવાં જોઈએ એવી મારી માન્યતા છે. આ કામ તે તે ધર્મપુસ્તકો વાંચ્યા વિના ન જ થઈ શકે એ દેખીતું છે. શીખ સંપ્રદાયનું મૂળ પુસ્તક' ગ્રંથસાહેબ છે. જપજી' એ સંપ્રદાયના પ્રણેતા ગુરુ નાનકસાહેબની વાણી છે. એટલે તેના પરિચય આપણે બધાએ કરવા ઘટે છે. મગનભાઈના સરલ અનુવાદ ગુજરાતીઓને સારુ આ પરિચય સુલભ કરી મૂકે છે. મારી આશા છે કે સહુ તે લાભ ઉઠાવશે, તા. ૨૨-૩-૧૮ માહનદાસ કરમચઢ ગાંધી કલકત્તા

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238