Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

Previous | Next

Page 197
________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! સાબુત રાખ્યા છે. એ સંતે એમ પ્રગટ થયા કર્યા ન હતા, તે પરમાત્માનું નામ જ કથાનું ભૂંસાઈ ગયું હત– ગ્રંથમાંથી તેમ જ લોકોના મગજમાંથી પણ એ સંતો પોતાની પાછળ લોકભાષામાં એટલું જ નહિ પણ સામાન્ય માનવીને પણ સુગમ એવાં ગેય ભજન અને પરૂપે પિતાના અનુભવનું તેમ જ આધ્યાત્મિક માર્ગનું નિરૂપણ કરતા રહ્યા છે. ભારતવર્ષમાં તે વચમાં એક આખો ગાળો જ એવા સંતની શ્રેણીને આવી ગયું, જેથી તેને સંતયુગ” એવું નામ પણ આપવું પડે. એ સંતોની વાણી દરેક પ્રજાના અમૂલ્ય વારસારૂપ તથા ખજાનારૂપ છે. દરેક પ્રજાએ એ અમૂલ્ય વારસે જીવંત રાખવા બધી રીતના પ્રયત્ન કરી જવા જોઈએ. તેમાંની એક રીત તે ભજનનો ચાલુ લોકભાષામાં અનુવાદ ૨જુ કરવાની છે. ઘણી વખત એ તેની જૂની લોકભાષા જ તેમના પદોને અર્થ સમજવામાં મુશ્કેલી ઊભી કરે છે. - એણે રજનીશજીએ અંગ્રેજી ભણેલી અને આઝાદીની લડત દરમ્યાન તથા આઝાદી મળ્યા બાદ ન કલ્પી શકાય તેવા નૈતિક અધ:પાતને પંથે પળેલી ભારતીય પ્રજામાં તેમ જ પરદેશની બીજી પ્રજાઓમાં આધ્યાત્મિક ઉત્થાન માટે વ્યાખ્યાને, શિબિરો, ટેપ, કેસેટો અને પુસ્તકમ્પ્રકાશન દ્વારા જે અમૂલ્ય કાર્ય કર્યું છે, તે ખરેખર અતિ પ્રશંસનીય છે. તેમાંય ૩૫ થી ૪૦ પરદેશી સંતિ અને સૂફીઓના પદ ઉપર અનુવાદ, ટિપ્પણ, પ્રશ્નોત્તરી સાથે જે મોટાં વ્યાખ્યાન તેમણે આપ્યાં છે, તે તે ખાસ ઉલ્લેખનીય છે. પિતાને વિષે જુદે જુદે સમયે જુદી જુદી મહત્તા અર્પણ કરતા તે અધ્યાત્મજ્ઞાનીએ જુદા જુદા સંતોનાં ચરિત્ર અને પદો રજૂ કરતી વખતે પોતાની જાતને જરા પણ આગળ કરી નથી, પરંતુ તે તે સંતની તથા તે સંતનાં પદોની મહત્તા અને મૂલ્યવત્તાને જ આગળ કી છે. સાચી “સ્વરાજ-સરકારે દેશની રાજમાન્ય બધી ભાષાઓમાં તે પુસ્તકોના અનુવાદો પ્રકાશિત કરી દેવા જોઈતા હતા. રજનીશજીએ જે મહાકાર્ય કર્યું છે, તેને લાભ સમસ્ત ભારતીય પ્રજાને એ રીતે સુલમ કરી આપ એ કઈ પણ આઝાદ સરકારની ફરજ છે. એવા જ કંઈક આશયથી વિશ્વ સાહિત્ય અકાદમીએ સંતમાળાનું ગુજરાતી સંક્ષિપ્ત અનુવાદરૂપે પ્રકાશનકાર્ય હાથ ઉપર લીધું છે.

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238