________________
ધર્મબીજ અને ટાઢ ત્યાં હોય છે. ત્યાંની ટાઢમાંથી ઉપાડીને કોઈ નારકીના જીવને શિયાળામાં હિમાચળના અત્યચ્ચ શિખર પર બરફ વચ્ચે મૂકે તો પણ તેને ટાઢ ઓછી લાગવાથી આહલાદ થાય. નારકીઓ પરસ્પર સતત ઝઘડે છે. એક બીજા પ્રત્યે તેમને સદેવ મત્સર ોય છે. ત્યાં જીવને પરમધામિઓ તરફથી અસહ્ય વેદનાઓ સહન કરવી પડે છે. શાલ્મલિવૃક્ષના કાંટાઓ અને અસિપત્રવૃક્ષમાં તલવાર જેવાં પાંદડાંઓનો સ્પર્શ, તાંબું વગેરે ધાતુઓના ઊકળતા રસનું પાન, વૈતરણી નદીમાં તરવું વગેરે અનેક પ્રકારનાં દુઃખકારક . નિમિત્તો વચ્ચે જીવને રહેવું પડે છે, તેથી એક ક્ષણ પણ નારકીઓને સુખ નથી. સર્વજ્ઞ સિવાય તેમની વેદનાને સંપૂર્ણ રીતે કોણ જાણી શકે?
તિર્યંચગતિનાં દુઃખો પણ અત્યંત ભીષણ છે. એકેન્દ્રિયદિ જીવોને ભૂખ, તૃષા, ટાઢ, તડકો, છેદન, ભેદન વગેરે અનેક દુઃખો સતત સહેવાં પડે છે. પશુઓ પણ ચાબુક, અંકુશ વગેરેના પ્રહારો, વધ, બંધન, ભૂખ, તૃષા વગેરે અસંખ્ય દુઃખોથી નિરંતર પીડાઈ રહ્યા છે.
મનુષ્યોને યુદ્ધ, અકસ્માત્ વગેરેનાં અનેક દુઃખો છે, તેની બાલ્ય, યૌવન વગેરે સર્વ અવસ્થાઓમાં વિવિધ દુઃખ છે. કહ્યું છે કે –
'निर्विवेकतया बाल्यं, कामोन्मादेन यौवनम् ।
वृद्धत्वं विकलत्वेन, सदा सोपद्रवं नृणाम् ।।' બાળપણમાં વિવેક ન હોવાથી, યૌવનમાં કામનો ઉન્માદ હોવાથી અને વૃદ્ધાવસ્થામાં અંગો વિકળ (જર્જરિત) થવાથી મનુષ્યની સર્વ અવસ્થાઓ સદા ઉપદ્રવોવાળી છે.”
દેવોને પણ દુઃખોનો પાર નથી. અવધિજ્ઞાનથી જ્યારે તેમને પોતાના ચ્યવનકાળનું જ્ઞાન થાય છે, ત્યારે તેમનાં દુઃખની સીમા રહેતી નથી, “અશુચિથી ૧. નારકીઓને પીડા આપનાર દેવોની જાતિ. ૨. નરકના આ વર્ણનને વિશેષ જાણવા માટે જુઓ શ્રી સૂયગડાંગ સૂત્રનું નિરયવિભત્તિ
અધ્યયન.
૩. અવધિજ્ઞાનથી ભૂત અને ભવિષ્યકાળના ભાવો, દૂર પ્રદેશમાંના ભાવો વગેરેનું દર્શન થાય
છે. આવું જ્ઞાન દેવતાઓને સહજ હોય છે અને તે ઊલટું પણ હોય છે. વિશેષ માટે જુઓ શ્રી નંદિસૂત્ર' ભવ ઉપરના અયોગ્ય બહુમાનને (ભવાભિનંદિતાને) કારણે કર્મજન્ય છે અને કર્મ એ બંધનરૂપ હોઈ દુઃખરૂપે પરિણમે છે.”