Book Title: Champak Shreshthi Charitra
Author(s): Manek Muni
Publisher: Jain Mitra Mandal Sabha

View full book text
Previous | Next

Page 10
________________ ( 3 ) માતાના ઉદરમાં બહુ કલ્યાણ મેળવીને અવતર્યો છે. આવી રીતનું આ દેવીનું અદશ્ય દૈવિક વાક્ય સાંભળીને શેઠે વિચાર્યું કે મારી લક્ષ્મીને ભોગવનારે શું કઈ અન્ય પુરૂષ છે કે? કારણ કે ધનના લોભે તે કૃપણ શેઠે દાન, કે ભગ કશુંએ કર્યું નથી. પુછે શેઠજ દેવીને, કીધો વળી ઉપવાસ; કુશ સંથારે સુઇને, દેવી આરાધી પાસ, સાત દીને કુળ દેવીએ, આવી પ્રત્યક્ષ પાસ; કહી દીધુ ત્યાં શેઠને, સાંભળ્યું ન થાય નાસ. આવી ત્રણ દિવસ નિરંતર અદશ્ય દેવીકવાણી સાંભળવાથી શેઠે પિતાની જે કુળદેવી ત્યાં દર્ભના સંથારાનું આસન કરી તેની સમીપે બેસી દેવીને આરાધતાં સાત ઉપવાસે દેવી પ્રત્યક્ષ પ્રગટ થઈપ્રસન્નતાથી કહેવા લાગી કે તે ત્રણ દિવસ જે દૈવીક વાણી સાંભળી છે તે નિષ્ફળ થવાની નથી. (અર્થાત સત્ય છે.) અવતર્યો માતા ઉદરે નિચ્ચે માની લેજ મારો પણ ઉપાય નહીં, ભવિતવ્યતા એજ. કારણકે તારી લક્ષ્મીને ભોક્તા એવો જે પુણ્યશાળી છવા તે માતાના ઉદરમાં અવતરી ચુકી છે ત્યારે શેઠે અતિ ગભરાઈને કહ્યું કે હવે હું શું કરું. ત્યારે દેવીએ કહ્યું કે તેમાં મારે કોઈ પણ ઉપાય નથી તે તું શું કરવાને હતો? કારણકે એજ ભવિતવ્યતા છે જે થવાનું છે તે થયા વિના રહેનાર નથી. કયાં અવતર્યો પુછતાં, બેલી દેવી વાણ; પુર જે કપીલ પુર છે, તેમાં તેને જાણ ત્રિીવીકમ જે શેઠીયે, દાસી પુન્યશ્રી જ્યાં; કખમાં તેની અવતર્યો, સુખે વસ્તે ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63