Book Title: Champak Shreshthi Charitra
Author(s): Manek Muni
Publisher: Jain Mitra Mandal Sabha

View full book text
Previous | Next

Page 46
________________ ( 38 ) તેવીજ રીતે ચંપક પણ બરાબર ફસામાં આવી જતાં પૂર્વ પુણ્યના ઉદયથી બચી ગયો. સીપાઈઓ જ્યારે તેને મારવા આવ્યા ત્યારે ચંપકને માંકણ કરવાથી ચેન ન પડતાં કંટાળીને મીત્રના ઘેર જઈ સુઈ ગયો હતો તેથી શય્યા ખાલી પડેલી જોઈને તેઓ તેને ઘરમાં શોધવા ગયા. ત્યાં પણ નહિ મળવાથી લોભના વિશે કરીને દૂર શોધવા ગયા પણ તે હાથ નહિ આવવાથી ફીકે ચહેરે અને વિલખે મેઢે પાછા આવ્યા. પણ તે દરેકને સો સો મહેરોને લાભ જતો રહેવાથી તેઓના હૃદયમાં ઘણે ક્રોધ વ્યાપી રહ્યા. - ભુજંગી છંદ. કરી હુકમો શીઘ કરાવવાને, પૂઠે આવતે મારતે દેખવાને; નહીં પુત્રી ભર્તા નહિ રક્ષકને, ઉરે ચીંતને શેઠરે કયાં ગયે તે, દેહરે. લેરી શું ભાગી ગયે, શેાધીને તે સાજ; કે તે મુઓ સીપાઈથી, ચાલ્યા ફેકણ કાજ, જ્યારે સીપાઈઓ તેને શોધવા ગયા ત્યારે જમાઈને મરાતો જોવાને શેઠ તુર્ત ત્યાં આવ્યું, પણ ત્યાં કોઈને નહીં જેવાથી શેઠ વીચારવા લાગ્યું કે શું મારો દુશ્મન નાશી ગયો? કે તેને મારીને સીપાઈઓ દાટવા સારૂં ગયા છે? એમ વિચાર કરતો શેઠ વધારે વખત લાગવાથી તથા ઉઘનાં ઝોકાં આવતાં જોઈ કપડું ઓઢીને ઓટલા પર જે શૈવ્યા હતી તેમાં સુઈ ગયા અને નિદ્રાધીન થયો. ભુજગી. બહુ થાકીને આવતાં ફીકે ચહેરે, ગયે હાથથી બોલતાં આવે ઘરે; P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63