Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
( ૧૨ ) છે, તેનો ધાત્વાર્થ જોતાં જન્મના કારણુથી ઉત્પન્ન થયેલી જાતને તે લગાડ્યાનું જણાય છે. મનુસ્મૃતિના દશમા અધ્યાયમાં અનેક હલકી જાતેની ઉત્પત્તિ બતાવેલી છે. તે ચારે વણીના અયોગ્ય મિશ્રણથી ઉત્પન્ન થયાનું જણાવ્યું છે, ને તેમને માટે જુદાં જુદાં કર્મ નિર્માણ કરેલાં છે, તે ઉપરથી એવું અનુમાન થાય છે કે હલકા ધંધાદારીઓની નાતે, ત્રણ ઉત્તમ જાત તથા શકો અને આ દેશના મૂળ વતની અનર્વિકના મિશ્રણથી ઉત્પન્ન થઈ હશે.
व्यभिचारेण वर्णानाम वेद्यावधननेच ॥ स्वकर्मणांच त्यागेन जायंते वर्णसंकराः ॥
મનુભૂતિ, સ. ૨૦, ૨૪, અર્થ-જૂદી જૂદી વર્ણનાં સ્ત્રી પુરૂષમાં વ્યભિચાર ચાલ્યાથી, જે સ્ત્રી સાથે પરણવાને અધિકાર નથી તેને પરણ્યાથી, અને પોતાના ધર્મ નિયમને ત્યાગ કરવાથી વર્ણસંકર એટલે જાતિને ભેળસેળ કે મિશ્રણ થાય છે. એ પ્રમાણે હલકી વર્ણના સંબંધમાં જન્મનો આધાર મનુસ્મૃતિમાં બતાવ્યો છે, પરંતુ ઉંચ વર્ણોને માટે તેવું કંઈ જણાતું નથી. ઉલટું એમ માલમ પડે છે કે એવી એકાદ હલકી વર્ણમાંથી પણ કાળે કરીને માણસ ઉંચ વર્ણમાં આવી શકતો. शूद्रायां ब्राह्मणाज्जातः श्रेयसाचेत्प्रजायते ॥
૧ જુએ મનુસ્મૃતિ અધ્યાય ૧૦. તેમાં એવી અનેક નાનાં નામો આપ્યાં છે, ને તે દરેક કેવા કેવા કારણથી ઉત્પન્ન થાય છે, તે પણ બતાવ્યું છે, તેમ તે દરેકે કેવા કેવા ધંધા કરવા તે પણ બતાવ્યું છે. લંબાણ થાય માટે તે ક્ષે કો અત્રે ઉતાર્યા નથી. '
૨ પ્રથમ કહે વસ્તિપત્રકને રીપોર્ટ, પુષ્ટ ૧૪૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com