Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 110
________________ (૪૭) એ પૂર્વની વર્ણવ્યવસ્થાનું પરિણામ હોય કે નહિ તેને અજાણ્યાના મનમાં શક ઉત્પન્ન કરે છે ! ને અમને તો લાગે છે કોઈ પૂર્વને ઋષિ આવીને જુએ છે તે પણ એમજ ધારે! પરંતુ ઈતિહાસ સાક્ષી પૂરે છે, ને એ બાબતમાં તે કશે શક નથી. જેમ હાલની વર્ણવ્યવસ્થા પ્રાચીનું વર્ણવ્યવસ્થાનું પરિણામ છે એ વાતને શક નથી, તેમ હાલની વર્ણવ્યવસ્થા અને પ્રાચીનું વર્ણવ્યવસ્થાના આધારભૂત કારણો ની વચ્ચે અપરિમિત અંતર છે એમાં પણ શક નથી. હાલની વર્ણવ્યવસ્થા અને પ્રાચીન આર્યોની વર્ણવ્યવસ્થામાં અને સ્માન જમીનને તફાવત છે. અસલના વખતમાં વર્ણભેદને લીધે ધમાપદેશકોને કેટલાક હક્કો આપવામાં આવ્યા હતા, અને ક્ષાત્ર કર્મ કરનારાઓને પણ કેટલાક હક્ક આપવામાં આવ્યા હતા, પરંતુ તેથી આર્ય પ્રજાના વિભાગ પડી ગયા નહતા તેમ તેનું ઐક્ય તુટયું નહતું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈ પિતાના પેઢી ઉતાર કે પેઢી દર પેઢી કર્યા જતા હતા; તે પણ તેઓ એક પ્રજા અને એક જાત છે એમ તેમના મનમાં રહેતું; તેઓને એક જ પ્રકારને ધર્મોપદેશ મબતે, તેઓની વિદ્યા તથા દંતકથાઓ એક જ પ્રકારની હતી, તેઓ એક બીજાની સાથે ખાધાપીધાને વ્યવહાર રાખતા, તેઓ અરસ્પરસ કન્યા વ્યવહાર રાખતા, અને એક બીજા સાથે બધી બાબતના સંસારી વ્યવહાર રાખતા, અને પરાજય થયેલા આ દેશના મૂળ વતનીઓના સંબંધમાં પિતે પિતાને આર્ય જાતના કહી અભિમાન ધરાવતા. અર્વાચીન કાળમાં નાતને લીધે આર્ય પ્રજાના વિભાગ થઇ તેની કોડીબંધ ના થઈ છે, એ ભિન્ન ભિન્ન નાતેમાં જાતિના ભેદને બહેબે સમુદ્ર આવી પડે છે, તથા તેઓની વચ્ચે અર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134