Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૧૧) ગતમાં સેથી જે અધિક હાલું છે તેને-એક ઝંડીયા કુવામાં પુત્રી સદાને માટે દુઃખી થાય છે. તેને જોઈને શેર શેર લોહી બળી જાય છે! દુઃખને કંઈ કાંઠે રહેતે નથી! આવાં દૃષ્ટાંતે મિત્રોને અને ઓળખીતાઓને મેઢેથી સાંભળી આંખે પિતાની ફરજ સહસા બજાવે છે. વળી કેટલાકને એવી પણ બુમો પાડતાં સાંભળ્યા છે કે આ ભાઈ તો ભણી ગણુ પંડિત બન્યા ને પિપટ જેવા થયા, પણ બાઈ તો પથ્થરના ભમરડા જેવાં છે, ભાઈનાં બધાંય પોથાં થોથાં કુવામાં નાંખે એવાં છે ! વળી કોઇ વર નહિ મળવાથી પુત્રીને માટે નાને વર લેવો પડે, એવી ફરિયાદ પણ કરે છે. આ બધાથી કોનું હૃદય પિગળતું નહિ હોય! જેને હદય હશે તેનું તે પિગળતું હશે જ હશે! આ બધાં કજોડાંઓને, આ બધાં દુઃખેને એક ઉપાય કન્યા વ્યવહારનાં ક્ષેત્રો મેટાં થવાથી થવાનો સંભવ છે. માટે અમે કહીએ છીએ કે આ બાબતમાં તો બહુ બલિદાન પણ આપવાનું નથી. છેવટ અમારી એટલી વિનતી છે કે વાંચનાર, તું આટલે સુધી આવું એટલે ચોપડી તે પુરી થઈ, પરંતુ આ વિષય પુરે થયે, કે તારું કર્તવ્ય પુરું થયું એમ સમજીશ નહિ! તારે તે હજી બહુ કરવાનું બાકી છે. કદિ, પ્રિય વાંચનાર, તું મનમાં એમ ન લાવીશ કે તારા એકલાથી શું થઈ શકવાનું છે? આ ગ્રંથકર્તાએ તે હેટી હેટી વાત કરી, પણ તે કંઈ એકલાનું કામ નથી એ વિચારને તારા મનમાં પેસવા જ દેઈશ નહિ! તું એકલો બધું કરવા સમર્થ છે! એક એક મળીને આખી પ્રજા થાય છે. કાંકરે કાંકરે પાળ બંધાય છે! જે દરેક માણસ “મારા એકલાથી શું થઈ શકવાનું છે, એ વિચાર કરી બેશી રહે તે પછી કાણુ આગળ આવવાને! ને શું કાર્ય
થવાનું? વળી કોઈએ એમ પણ માનવું ન જોઈએ કે “હું કંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com