Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૩૮) ને જાન માલની સલામતી ન હોય તે વ્યવહારિક કાર્યો મન ગમતાં શી રીતે થાય ? પરદેશ જતાં રસ્તામાં ભય રહે, જુલમની બીક રહે, લૂટાવાની ધાસ્તી રહે, વટલાવી દેવાની દહેસત રહે અને વહૂ કે છોકરી સાથે હેય તેના ઉપર જુલમ થવાની બીક રહે, તેથી સૌ પોત પોતાના ગામમાં વ્યવહાર કરવાનું , એમાં શું આશ્ચર્ય ! આવા અંધાધુંધીના વખતમાં વ્યવહારિક કાર્યોના સાધનોની અનુકુળતાની પણ શી આશા ! તે વખતે રેલવે ક્યાં હતી, તાર કયાં હતો, અને ટપાલની અનુકુળતા પણ ક્યાં હતી! ગાડાં જવાં કેટલાં મુશ્કેલી દીકરી કે વ૬ પરગામ હોય તો તે જાય ત્યારે જાય ને આવે ત્યારે આવે ! બાકી સરસ દેશ શો! આવા સમયમાં, આવી રાજનીતિમાં, અને આવી પરદેશના વ્યવહારની અનુકુળતાની ખામીમાં માણસ કુવાને દેડકો થઈ જાય એ સ્વાભાવિક છે. હવે ગામવાર કે પ્રાંતવાર નાતને સંભવ . હવે કેટલીક ગામવાર અને કેટલીક પ્રાંતવાર બ્રાહ્મણની તથા વાણિયાની નાતો બંધાઈ અને એનું એજ પરિણામ અન્ય વર્ણોમાં પણ આવ્યું. બ્રાહ્મણ વાણિયાની હાલની ઘણીખરી નાતો સ્થળના ભેદથી થઈ છે. એક મોટા નગરના રહીશ બ્રાહ્મણો તે નાગર બ્રાહ્મણ અને વાણિયા તે નાગર વાણિયા થયા. એવી રીતે જગાઓના ભેદના કારણોથી જે જે નાતો થઈ છે તેમાંની મુખ્ય મુખ્યની ટુંકી વિગત નિચે પ્રમાણે છે.
અગરવાળ:–બ્રાહ્મણ અને વાણુઆ બને છે. પંજાબમાં હરિપાનાની સરહદ ઉપર અગ્રેહા ગામ છે. ત્યાંથી શાહબુદીન ગોરીના મારથી નાશી આવ્યા તેઓનું એ નામ પડયું.
અનાવલા:-સૂરત જીલ્લામાં અનાવલ ગામ છે, ત્યાંના બ્રાહ્મણ તે અનાવલા બ્રાહ્મણ થયા.
આદિચ –ઉદીચી એટલે ઉત્તર દિશામાંથી આવેલા બ્રાહ્મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com