Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૮૮). વાત છે. કેટલીક નાતમાં તે હમણું જોતા જોતામાં બંધાય છે ને કેટલીક વાતોમાં તે હજી બંધાતા જાય છે ? બીજું દ્રષ્ટાંત પિશાકનું છે. આ છેલ્લા ત્રીશેક વર્ષમાં આપણું પિશાકમાં કેટલે ફેર પડે છે? ઘણો પડે છે એમ કબુલ કર્યા સિવાય છુટકો નથી. ત્યારે એ રૂઢી બદલાઈ કે નહિ? એમ વિચાર કરતાં બીજા પણ દ્રષ્ટાંત મળી આવશે. કહેવાનો મતલબ એટલી જ છે કે જનમંડળને જે રૂઢી હાનિકારક લાગે તે બદલતાં કઈ પ્રકારે આચકો ખાવાની જરૂર ન. થી. એ પ્રમાણે વખતે વખતે જનમંડળ રૂઢીઓ બદલે જ છે ને બદલે એ જ સ્વભાવિક ને ન્યાય છે. વળી આ રૂઢી જુની કે માન્ય છે એમ પણ શા. ઉપરથી કહેવું. કોઈપણ શાસ્ત્રમાં તે એ ઉ લેખ મળતો નથી. સૈાથી ઉતરતા આધારવાળા પુરાણમાં પણ બ્રાહ્મણ વાણિયાની ચોરાશી ચોરાશી નાતો જણાતી નથી. ત્યારે આ પ્રાચીન કે શિષ્ટ રૂઢી પણ ક્યાં છે ?
૧ પ્રથમ આ વાત અમે બતાવી આપી છે, ને એમ કહેવાના આધાર પણ બતાવ્યા છે. વિશેષમાં ઉપર કહેલા સુદર્શનના વધારા ને આધાર અમારા મતની પુષ્ટિમાં ટાંકીએ છીએ; પૃષ્ટ ૧૧. શાએમાં જે સ્મૃતિઓ, કે તે પૂર્વેને વેદ રાશિ, કે તે પછીને જે પુરાણ સમૂહ તેમાં નાગર, કે અમુક જાતના બ્રાહ્મણ–ખેડાવાળ, મેઢ, શ્રીગેડ ઈત્યાદિ-કશે ભેદ જણાતું નથી. સર્વને બ્રાહ્મણ એવા એક જ શબ્દથી વર્ણવેલા છે. સ્કંધપુરાણ ઘણું અર્વાચીન મનાય છે, તેના પૂરને અમુક નિર્ણય નથી, અર્થાત કી ભાગ ખરેખર સ્કંધ પુરાણુનેજ છે, ને કી અંદર ઘેચી ઘાલવામાં આવ્યું છે તે કહી શકાતું નથી. આ પુરાણમાંના નાગર ખંડમાંજ નાગરનો ઇતિહાસ અત્રે કહ્યા તે આપેલો છે, બાકી શાસ્ત્ર માત્ર જોતાં કહીં પણ બ્રાહ્મણુ વિના બીજો શબ્દ હાથ આવતું નથી. આ વાત શું સૂચShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com